SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : ** શું તે નથી સાંભળ્યું ? કે સમુદ્રનુ` મથન કરવાથી ઉછળેલા વિષના ગળવા( ખાવા )વડે શ્રીકંઠ ( શ ંકર ) તરત જ વષના દોષથી નીલકંઠે થયા. અથવા આ શું નથી સાંભળ્યું ? કે-લિંગના છેડા જોવા માટે પાતાલમાં ગયેલા વિષ્ણુનુ શરીર કાલાગ્નિના મેટાં દાહવડે કાળું થઈ ગયુ. આ પ્રમાણે વિચાર કરીને વ્યાકુળતાને તજી દે, અને પેાતાના કાર્યાંમાં પ્રવૃત્તિ કર; કેમકે શાક કરવાથી શરીર સીદાય છે, પરંતુ કાર્યની સિદ્ધિ થતી નથી. ” આ પ્રમાણે સાંભળીને બાહ્ય વૃત્તિથી “ બહુ સારું ” એમ અંગીકાર કરીને દ્રાણુ ગૃહકા ના વિચાર વગેરે કરવામાં પ્રત્યેી. પછી કાઇક દિવસે સાવાર્હને વાત જણાવ્યા વિના જ, તેવા પ્રકારનુ શંખલ( ભાતું) ગ્રહણુ કર્યા વિના અને કોઇને સહાય કર્યા વિના મધ્ય રાત્રિને સમયે તે દ્વેણુ નગરીમાંથી બહાર નીકળ્યેા. અને ઉત્તરાપથથી સન્મુખ પૂર્વ કહેલા ધૂને જોવા માટે ચાલ્યા. માર્ગમાં ચાલતા તેને એક બ્રાહ્મણ મળ્યા. તેની સાથે ગમન કરવુ અને અવસ્થાન કરવું વિગેરેવર્ડ હુ ંમેશાં વર્તાતા પરસ્પર સ્નેહ થયા. અનુક્રમે તેએ શખપુરમાં ગયા ત્યારે તે બ્રાહ્મણ ગ્લાન થયેા ( માંદેા પડ્યો). તે વખતે “ સાથે સાથે ચાલનારા આના ત્યાગ હું કેમ કરું ? ” એમ વિચારીતે શ્રેણે તેની ઔષધ અને પથ્યાદિકડે સારસંભાળ કરી, તેથી કેટલાક દિવસે તે સાજો થયા. તે વખતે કારણુ રહિત દ્રોણુના વાત્સલ્યપણુાએ કરીને ખુશી થયેલા બ્રાહ્મણ તેને કહેવા લાગ્યા કે હું દ્રાણુ! તારા સાચો ભાવનાથી પ્રતિચાર કરવાવડે મારું ચિત્ત તારા ઉપર અત્યંત આકર્ષાયું છે, તેથી કાંઇક ઉપકાર કરવાને ઇચ્છું છું; તેથી આ એ મંત્રને તું ગ્રહણ કર. તેમાં એક મ ંત્ર વિષના નાશ કરનાર છે અને બીજો જવરના નાશ કરનાર છે. ” ત્યારે દ્રોણે તે અંગીકાર કર્યું, અને સારા મુહૂર્તે તે મત્ર ગ્રહણુ કર્યો પછી “સારા સ્થાને આના ઉપયાગ કરજે ” એમ કહીને તે બ્રાહ્મણુ મથુરા નગરી તરફ ગયા. દ્રેણુ પણ નગ૨ અને આકરાદિકને વિષે તે ધૂતને જોતા જોતા ગજપુરમાં ગયા. અને ત્યાં મેાટા જવરથી ગ્રહણુ કરાયેàા રાજાના પુત્ર ખેદ પામતા હતા. તેની વેદનાથી જીવિતના ત્યાગ કરવાના મનવાળા તેણે પોતાના પિતાને કહ્યુ કે–“ હે પિતા ! આ છઠ્ઠો માસ ચાલે છે. વર મને મૂકતા નથી. મારું શરીર ક્ષીણુ થયુ` છે, લેાજનની ઇચ્છા નાશ પામી છે. તેથી જો તમે અનુજ્ઞા આપેા તેા હું જળપ્રવેશાદિકવર્ડ વિતના ત્યાગ કરું. ” રાજાએ કહ્યું–“હે વત્સ! હવે ફરીથી આ પ્રમાણે તું મેલીશ નહીં. હું તેવી રીતે કરીશ, કે જેથી ઘેાડા દિવસમાં તું નીરાગ થઇશ. ” એમ કહીને તેણે નગરમાં આઘાષણા કરાવી, કે–“ રાજપુત્રને જે કોઇ જ્વર રહિત કરશે, તેને રાજા મેાટી પ્રસાદ આપશે. p આ પ્રમાણે ત્રિક, ચતુષ્ક અને ચૌટા વિગેરેમાં ઉદ્ઘાષણા થઇ, ત્યારે કાઇ પણ મંત્રવાદી પ્રાપ્ત થયા નહીં, પરંતુ તત્કાળ જ્વરના નાશના મંત્ર શીખેલેા તે દ્વેણુ રાજકુળમાં ગયા. તેણે રાજપુત્રને જોયા પછી તે જ વખતે મેટાપ્રમ`ધવર્ડ તેના વરના નિગ્રહ કર્યો. તેથી તે નીરાગી થયા. રાજા તુષ્ટમાન થયા. તેથી તેણે દ્વેણુને કહ્યું કે-“ જે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy