________________
[ ૨૦૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
રાજાએ કહ્યું કે—“ જો આ અંગીકાર કરે, તે અયુક્ત શું છે ? ( તે ચેાગ્ય જ છે. )” ત્યારે જયમ ́ગળ આવ્યે કૅ− હૈ પિતા ! જો કુવલયચંદ્રનું મન દીક્ષા લેવાનું હોય તે। મારે રાજ્ય કરવું કેમ ચેાગ્ય ઢાય ? કેમકે જે હું આની સાથે જ પૂર્વ જન્મમાં સમાન સુખ દુ:ખને સહન કરવાવડૅ સાથે જ રહ્યો હતા, સાથે જ અભ્યાસ કરતા હતા, સાથે જ વિહાર કરતા હતા, અને સાથે જ દેવપણું પામ્યા હતા. ” ત્યારપછી વસંતસેન રાજાએ બન્ને રાજપુત્રાને હાથમાં પકડીને કહ્યું કે-“ હું તમને જે કહું, તેનુ તમારે સથા પ્રકારે ઉલ્લંઘન કરવું નહીં. ” એમ કહીને તેણે નૃત્ય લેાકેા પાસે માટા મૂલ્યવાળા રાજ્યાભિષેક તૈયાર કરાવ્યા. પછી સારા મુહૂતે તે બન્નેને અધ અર્ધ રાજ્ય આપવાવર્ડ ગેમ સહિત રાજ્યપદે સ્થાપન કર્યાં, અને શિખામણ આપી, તથા સામંતાકિ લેાકાને આજ્ઞા કરી
– તમારે આ બન્નેને મારી જેમ જોવા, તથા આ બન્નેનુ' થાડું પણ આજ્ઞાનું ઉલ્લ ઘન મનથી પશુ ન કરવું. ” એમ કહીને તે રાજા દીન, અનાથ વિગેરે ખરાબ સ્થિતિવાળા માણસાને માટું દાન અપાવીને, કેદખાના વગેરેમાં રૂંધેલા અપરાધી જનાના સમૂહને મુક્ત કરાવીને તથા હજાર મનુષ્યાવર્ડ વહન થાય તેવી શિબિકા ઉપર ચડીને ચ'પકવન નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેણે અચલસૂરિની પાસે પ્રત્રયા અંગીકાર કરી, અને પછી પ્રમાદરહિત વિચરવા. લાગ્યા. અહીં જયમ'ગલ અને કુવલયચંદ્ર સગા ભાઈની જેમ અને એક ગુરુના શિષ્યની જેમ માટા સ્નેહપૂર્ણાંક રાજ્યલક્ષ્મી ભાગવવા લાગ્યા. રાજ્ય કરતા તેમણે તથાપ્રકારે કાઈ પણ રીતે પ્રજાનુ પાલન કર્યું, કે જે પ્રકારે તે પ્રજાએ પૂના રાજાઓનું સ્વગ્નમાં પણ સ્મરણ કર્યું" નહીં.
દ્રવ્યથી ગુણુના સંભવ થાય છે, અને ગુણુને વહન કરનારી વૃદ્ધિ થાય છે, એમ શાસ્ત્રમાં સભળાય છે, પરંતુ તેમના રાજ્યમાં કદાપિ તે સંભળાતુ નહાતુ. તથાપ્રકારે કાઈપણ રીતે સમગ્ર ત્રણ વર્ગના સારનું મેટા પ્રમાણવાળું રાજ્ય તેમણે ભેગયુ, કે જેથી તેમની માટી ક્રીતિ સર્વત્ર પ્રસાર પામી. રાજ્યલક્ષ્મી ભાગવવાથી કાણુ કાણુ ગર્વિષ્ઠ થયા નથી ? અને અપયશને કાણુ પામ્યા નથી ? અને નીતિરૂપી લતાનું ઉન્મૂલન કાણે કર્યું નથી ? પરંતુ પરલેાકના ભીરૂ( બીકણ ) ચિત્તવાળા તેમણે આત્માના નિધ કર્યો, અને છે આભ્યંતર શત્રુના નિગ્રહમાં નિર ંતર અત્યંત ઉદ્યમ કર્યાં. આ પ્રમાણે વર્તતા તે અને રાજા સૂર્ય અને ચંદ્રની જેમ સર્વ ઠેકાણે વખાણવા લાયક ચરિત્રવાળા રાજસભામાં બેસીને રાજકાર્યનું ચિંતવન કરતા હતા, તેવામાં એક વખતે પ્રતિહારે આવીને વિનતિ કરી કે− હૈ દેવ ! કૌશ ́ી નગરીથી વિજયઘાષ રાજાએ માકલેલા પ્રધાન પુરુષા તમારા દર્શન કરવા ઉત્સુક થયેલા ડાવાથી દ્વારને વિષે રહ્યા છે ( આવ્યા છે ) ” ત્યારે તે મને રાજાએ કહ્યું કે-“ તેઓને જલદી પ્રવેશ કરાવ. ” ત્યારે “ જેવી દેવની આજ્ઞા એમ કહીને તરત પ્રતિહારે તેઓને પ્રવેશ કરાગૈા. ત્યારે આ મારા પિતાના પ્રધાન પુરુષા છે ” એમ જાણીને જયમંગળ રાજા ઊભેા થયા, અને પિતાની જેમ તેઓના
,,