SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૪ છે ઃ કરીને સિંહ અને હરણ, બિલાડા અને ઉંદર, સસલા અને ચિત્તા, સર્પ અને મોર, વિગેરે જિનેશ્વરના મોટા પુણ્યથી જાણે આકર્ષણ કરાયા હોય તેમ ત્યાં આવ્યા, અને પૃથ્વીતળ ઉપર મસ્તકને નમાવી પ્રભુને વાંદીને બીજા પ્રકારની અંદર રહ્યા. હવે ચાર પ્રકારના દેવો પિતાપિતાને સ્થાને બેઠા, મનુષ્ય અને તિર્યચના સમૂહ લગ્ય સ્થાને રહ્યા, તથા વાજિત્રના શબ્દ, મંગલ ગીતના રવ (શબ્દ) અને લકેના કોલાહલ શાંત થયા ત્યારે દેવના હાથવડે વગાડેલા દુંદુભિના અવાજ જેવા અને જળથી ભરેલા મોટા મેઘના ગરવ જેવા ગંભીર શબ્દવડે પ્રભુએ સારી રીતે ધર્મકથા(દેશના)ને પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે – “હે શ્રોતાજનો! આ સંસારરૂપી સમુદ્રમાં ડુબતા ભવ્ય પ્રાણીઓને તારવામાં એક ધર્મ જ મોટા વહાણ જે સમર્થ છે. વળી તે ધર્મ સાધુ અને ગૃહના ભેદવડે બે પ્રકાર છે. અને તેમાં સાવધ કાર્યને ત્યાગ અને નિરવઘ કાર્યને સવીકાર કર એ સાધુધર્મ છે. ચતુર્યામ (ચાર મહાવ્રત) પ્રધાન, ગામ અને કુળ વિગેરેને વિષે મમતાને ત્યાગ, પાંચે ઇન્દ્રિયનું દમન, તથા કષાયને અત્યંત નિગ્રહ કરે, અપ્રતિબદ્ધ વિહાર, તથા આહાર, ઉપધિનિવાસ અને ફલક(પાટિયા)ને ઉદગમે અને ઉત્પાદનો ત્યાગના ષવડે ઉપભોગ કર, હંમેશાં પ્રતિલેખનાદિ કાર્યને વિષે વિપ્નના સમૂહને નાશ કરીને ચગ્ય સમયે વિધિપૂર્વક કરવામાં આસક્તિ કરવી, પ્રમાદને અત્યંત ત્યાગ કરે, ઉપસર્ગના સમૂહને વિજય કરવા માટે ઉદ્યમ કર, સંસારને વિષે મોટો વૈરાગ્ય, ગુરૂકુળમાં વસવાની પ્રીતિ, સૂત્ર અને તેના અર્થને વિષે ઉપયોગ, ગુરુની ભક્તિ કરવી, શકિત પ્રમાણે તપસ્યા કરવી, નિરંતર ધર્મક્રિયામાં અનુરાગ કરે, પરમાર્થના વિષયમાં ઈચ્છા કરવી, સર્વત્ર અનુચિતને ત્યાગ કરવ, બાલાદિક સાધુની પરિચય કરવી, દુઃખથી પીડાયેલા ઉપર દયા કરવી, સમિતિ અને ગુપ્તિનું શરણ કરવું, તથા વિધિ પ્રમાણે મરણ પામવું-આ પ્રમાણે સાધુ ધર્મ છે. આ સાધુ ધર્મ સંસારરૂપી સમુદ્રને તારવામાં વહાણ જેવો છે, આ ત્રાદ્ધિનું મોટું દ્વાર છે, આ મુક્તિરૂપી મંદિરના શિખર ઉપર ચડવાની નીસરણી છે, આ મોટું મંગલ છે, આ મનવાંછિત પદાર્થ આપવામાં કલ્પવૃક્ષ અને ચિંતામણિથી પણ અધિક મોટા મહિમાવાળો છે. આ જીવ જ્યાં સુધી મોક્ષસુખને આપનાર આ મુનિધર્મને સમ્યક્ પ્રકારે પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી આ મેટી ભવરૂપી અટવીમાં મોહરૂપી મેઘથી મૂઢ થયેલ હોવાથી ભમ્યા કરે છે. જે જીવેએ મોટા વિધિવડે આ સાધુધર્મનું એક દિવસ પણ આરાધન કર્યું હોય છે, તેઓ આ ભવસાગરને ૫દની જેમ કીડાવડે જ તરી ગયા છે. આ સાધુધર્મ અંગીકાર કરીને ધર્મમાં જ અત્યંત લક્ષ્ય રાખનારા અનંત જીવોએ દુઃખને જલાંજલિ આપે છે. તે આ યતિધર્મ હાથમાં (શીધ્રપણે ) એક્ષલક્ષમીને ઉત્પન્ન કરનારો છે. આ ધર્મ પાળવામાં અશકત જેને માટે બીજે ગૃહીધર્મ હોય છે. અને વળી તે ધર્મ ૧ જીવહિંસા, ૨ મૃષાવાદ, ૩ ચેરી અને ૪ પરસ્ત્રીના ત્યાગ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy