SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ મેમાલીના ધાર ઉપદ્રવ ને ધરણેનુ' આગમન. [ ૧૮૧ ] શ્રેણિવડે દશે દિશાના સમૂહને રૂ ંધનાર મેઘના જળના સમૂહને જન્માભિષેકને વિષે જેમ નાંખ્યા હતા તેમ ભગવાનના મસ્તક ઉપર નાંખ્યા. પ્રલય કાળે સુકાઈ ગયેલા સમુદ્રને ભરી દેવામાં સમર્થ તે જળ જિનેશ્વરના દેહના સ્પર્શ કરીને તેના શરીરની પ્રભાથી વ્યાપ્ત થયેલુ હાવાથી જાણે યમુના નદીનું જળ હાય તેવું તે પૃથ્વી ઉપર પડવા લાગ્યુ. તથા શ્વેત મેઘના સમૂહ જેવી કાંતિવાળા અને મેટા વાયુની લહરીએ કરેલા વિસ્તારવાળા જળબિંદુના સમૂહ આકાશમાં પ્રસરવા લાગ્યા. વારંવાર પ્રલય કાળની જેવા મેાટા વાયુવડે પ્રેરણા કરાતા મેઘના સમૂહ મુસળના અગ્રભાગ જેવી ધારના જળસમૂહવાળા જિનેશ્વરની ઉપર પડવા લાગ્યા. આ પ્રમાણે ત્રણ જગતના ગુરુના ધ્યાનના નાશ કરવા માટે અત્યંત ભયંકર ગારવવડે ત્રણ જગતના પ્રલય કાળની શંકાને ઉત્પન્ન કરનાર જળના વરસાદ પ્રસરવા લાગ્યા. પછી સમુદ્રની જેમ મર્યાદાના ત્યાગ કરીને તે જળ કાઇ પશુ રીતે તથાપ્રકારે વિસ્તાર પામ્યું, કે જે પ્રકારે મિત્રની જેમ પ્રભુના કંઠે લાગ્યું. જેમ જેમ જળ વિસ્તાર પામવા લાગ્યુ, તેમ તેમ જગદ્ગુરુના ધ્યાનરૂપી અગ્નિ માટા ક્રોધવાળા વડવાનળની જેમ મેાટી વૃદ્ધિને પામ્યા. તે વર્ષાને લેાકેાએ જળથી ભરાયેલા પ્રભુના નેત્રરૂપી પત્રને દાંતની કાંતિરૂપી મકર(પુષ્પની રજ )વાળુ, ગ્રીવાને કમળના નાળ જેવી અને સુખને કમળ જેવુ જોયુ. તેટલામાં નાના પ્રકારના મણિએની પ્રભાથી સુશેાભિત નાગરાજ ધરણેદ્રનુ આસન ચલાયમાન થયું. તેણે અવધિજ્ઞાનના ઉપયાગ મૂકીને કમઠે કરેલા ભગવાનના ઉપસના સમૂહના વૃત્તાંત જાણ્યા. ત્યારપછી ભગવાન પ્રત્યે માટા પક્ષપાતને ધારણ કરતા ધરણે સ્કુરાયમાન પમપુટના જેવી ચપળ કીકીવાળા નેત્રપત્રવાળી, પરવાળાની જેવા લાલ ધર મનેાહર વચનવાળી ( અધરવડે મનેાહર મુખવાળી ), અત્યંત સુરભિ સુગ ધથી ખે'ચાઇ આવતા ભ્રમરની શ્રેણિથી સહિત, મણિના કુંડલમાં પ્રતિબિંબરૂપ થયેલા કપાતની કાંતિવડે સહિત ( Àાલતી ), પુષ્ટ અને ગાઢ સ્તન ઉપર લટકતા નિર્મળ માતીની માળાવાળી, કામળ કમળના વિલાસવડે થેાલતી ભુજારૂપી વેલડીવાળી, મધુર શબ્દ કરતા કંદારાવડે શાલતા મધ્યપ્રદેશવાળી (કટિપ્રદેશવાળી ), કેળના ગભ જેવી એ જ ધાવડે શાલતી, કેલિના પલ્લવ જેવા રાતા હાથ પગરૂપી ક્રમળવર્ડ શાભતી તથા લાવણ્યવર્ડ પરિપૂર્ણ શરીરવાળી પેાતાની સુંદરીએ( સ્ત્રીએ )સહિત ( ધરણેન્દ્ર) આવ્યા. અને ત્યાં વીજળીના ચમકારાના આડંખરવડે ભયકર માટા મેઘનાં સમૂહે મૂકેલા જળસમૂહની મધ્યે રહેલા અંજનિગિરની જેવા ભુવનમાંધવને (પ્રભુને) જોયા. તેવા પ્રકારના તેમને સ્કુરાયમાન ફણાના મણુિના સમૂહની કાંતિરૂપી દીવાના સમૂહવાળુ, મેાટા મેઘના જળપ્રલયને રાકનારું' તથા દેદીપ્યમાન સાત ફણારૂપી પાટિયાવાળુ માટું છત્ર ભગવાનની ઉપર રહ્યું (કર્યું). તથા પરમેશ્વરને નમીને તેના પગની નીચે લાંબા નાળવાવડે શેાલતા માટા કમળને સ્થાપન કર્યું. હવે તેના ઉપર શાભતા એ ચરણપણાએ કરીને પૃથ્વીતળના
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy