SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૬]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૩ કે દુષ્કર તપ કરવામાં તત્પર અને અત્યંત નિરાલંબન(એકાગ્ર) ધ્યાનવડે મન, વચન અને કાયાના વ્યાપારને રૂંધતે એક મહાતપસ્વી અમુક ઠેકાણે પંચાગ્નિ તપને તપતે રહેલ છે.” આ સાંભળીને ઘણા રાજેશ્વર, તલવાર, માડંબિક, કૅટુંબિક અને સેનાપતિ વિગેરે પ્રધાન લેકે તેને વાંદવા ચાલ્યા. તેમાં કેટલાક શિબિકા ઉપર ચડેલા, કેટલાક રથ અને અશ્વિની પીઠ ઉપર ચડેલા જવા લાગ્યા, કેટલાક માનવડે અને કેટલાક રથવડે જવા લાગ્યા. તે વખતે ગતાનુગતિ ન્યાયવડે આશ્ચર્યપણાથી બાળ અને વૃદ્ધ સહિત સર્વ જના ચાલવાથી રાજમાર્ગ સાંકડા થયા, પગ મૂકવાની પરંપરા અતિ મંદ થઈ. આ અવસરે ત્રણ લેકના પ્રભુ ભગવાન પાર્શ્વકુમાર સાત ભૂમિ( માળ)ના પ્રાસાદના ઉપરના ભાગમાં સિંહાસન ઉપર બેઠા હતા, રાજપુત્રાદિક પ્રધાન જને તેને પરિવર્યા હતા, તે વખતે કોઈક રીતે તેની દષ્ટિ રાજમાર્ગમાં પડી, તેથી એક તરફ જતા નરનારીના સમૂહને જેઈ કહેવા લાગ્યા કે “અહા! આજે ઇંદ્ર મહેત્સવ છે? કે કૂવાને મહત્સવ છે? કે તળાવને મહત્સવ છે? કે યક્ષને મહોત્સવ છે? કે જેથી આ નગરીને લેક યાનાદિક ઉપર ચડીને તથા તથા મટે શણગાર પહેરીને એક જ તરફ જાય છે?” તે સાંભળીને એક પુરુષે કહ્યું કે-“હે દેવ! આ નગરીની બહાર એક તાપસ દુષ્કર તપ કરવામાં તત્પર થઈ પંચાગ્નિ તપને તપે છે, તેથી તેની દુષ્કર ક્રિયાના સમૂહથી વશ થયેલા હદયવાળા લેકે તેને વાંદવા માટે જાય છે.” આ પ્રમાણે સાંભળીને ભુવન સ્વામી કહેવા લાગ્યા કે-“અહા! આ મેટું આશ્ચર્ય છે! કે જેથી વિવેક રહિત અને હિત અહિતને નહીં જાણનારા અજ્ઞાની લોક પિતે નાશ પામે છે, અને બીજા પ્રાણીઓને નાશ પમાડે છે. આ જગતમાં બે પદાર્થ છે. તેમાં સાથે જ પ્રાપ્ત થયેલે વિવેક અને બીજો વિવેકી સપુરુષને સંગ. જેઓને આ બેમાંથી એકે નથી, તેઓ પરમાર્થથી આંધળા છે તેથી બીજાઓને આડા માર્ગો ઉતારે છે. આ શ્રદ્ધા કરવા લાયક નથી, કે પંચાગ્નિ તપવડે પણ ધર્મ થાય છે. આ તે મોટું આશ્ચર્ય છે ! કેમકે તેમાં છએ જવનિકાયને વધ અવશ્ય થાય છે, તેથી જીવનના વિનાશમાં વર્તતા આ મહાત્માની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. તેથી હે રાજપુત્ર ! તેની પાસે હું પોતે જઈને મિથ્યાત્વરૂપી મોહથી મોહ પામેલા તેને બોધ કરું.” એમ કહીને મનમાં કરુણાને પામેલા, નગરની નારીઓના નેત્રરૂપી કમળવડે પૂજાતા જગદ્ગુરુ ચાલ્યા અને મિત્રના સમૂહથી પરિવરેલા તે તેની પાસે આવ્યા. આ અવસરે સળગતા અગ્નિના કુંડમાં અંદર રહેલા મોટા સર્પવાળા એક કાઇને નાંખતા. માણસને પ્રભુએ , ત્યારે પ્રભુએ કહ્યું કે-“ધર્મના માટે તપના સમૂહને કરતા હે તાપસ! ધર્મના મિષવડે પાપ ઉપાર્જન કરનારું તે આ શું આરંવ્યું? કેમકે ધર્મનું મૂળ દયા છે, તે દયા અગ્નિના સળગાવવામાં કેમ થાય ? કેમકે તે અગ્નિને વિષે સર્વ જીવોને વિનાશ જોવામાં આવે છે. જે કદાચ શરીરને દાહ કરવાવડે પાપનો નાશ થાય છે, તેથી આ અગ્નિને આરંભ કર્યો છે એમ માનવું હોય, તે આત્માને હણવાથી શું ફળ માટે ધર્મ કરે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy