________________
-
--
[ ૧૫૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
~~~~~~~~~~~~~~
~
~~
પર્વતના શિખર જેવા મોટા પણ ગરલ(ઝેર)ને દૂર કરે છે, તેથી મને આજ્ઞા આપ, તે દુરાચારી કેટલા માત્ર છે? (શું હિસાબમાં છે?” ત્યારે પિતાએ આજ્ઞા આપી. એટલે તે કુમાર પિતાને મહેલમાં ગયે. પછી મોટા આભૂષણાદિક આપવાવડે પુરુષોત્તમને તુષ્ટમાન કરીને સારા મુહૂર્ત સમયે કુમારે પ્રયાણ કર્યું. તે વખતે અવસેન રાજાના કહેવાથી ચતુરંગ સૈન્ય સહિત સામંત રાજાઓના સમૂહ તત્કાળ કુમારની પાસે આવ્યાં. તે વખતે વેત છત્રને ધારણ કરનાર, છેક વેત બે ચામરવડે વીંઝાતા, મોટા હાથી ઉપર ચડેલ અને અનેક રાજાઓથી પરિવરેલ તે કુમારની આગળ ચારણભાટને સમૂહ યશ ગાવા લાગે, ચાર પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા, અ“વના હેવારનવડે અને હાથીની ગર્જનાના શબ્દસમૂહવડે આકાશ ભરાઈ ગયું. દરેક સમયે ઉત્પન્ન થતા શુભ શકુનવડે વૃદ્ધિ પામતા ઉત્સાહવાળો, તથા જેની આગળ મોટા સુભટો હકાર પિકાર કરી રહ્યા છે એ તે કુમાર ચાલ્યા. આ પ્રમાણે સમગ્ર સૈન્યના સમૂહવડે પૃથ્વીતલને અત્યંત ભરી દેતા તે મહાત્મા જેટલામાં પહેલા પ્રયાણે પહોંચ્યા, તેટલામાં પૃથ્વીતળને સ્પર્શ નહીં કરતો. અનેક દિવ્ય શસ્ત્રોથી ભરેલું અને માતલિ નામના સારથિ વડે યુક્ત એ એક રથ પ્રાપ્ત થયે. તે વખતે મસ્તકવડે પૃથ્વીતળને સ્પર્શ કરતા માતલિ પ્રભુને પ્રણામ કરી કહેવા લાગે કે-“હે દેવ! મારું વચન સાંભળો. ચારના (ગુપ્ત પોલીસના) અધિકારમાં નીમાયેલા દેવના વચનવડે આ વૃત્તાંત જાણીને દેવના ઇંદ્ર હરિએ (શકે) તમારી પાસે મને રથ સહિત મોકલ્યો છે, તેથી હે નાથ! મહેરબાની કરીને આ રથ ઉપર તમે આરૂઢ થાઓ, અને તેમ કરવાથી ઇદ્રની પ્રાર્થનાને ભંગ ન થાઓ.” આ પ્રમાણે તેને કહેવાથી ભુવનપ્રભુ તે રથ ઉપર આરૂઢ થયા. પછી નગર અને આકરવડે રમણીય પૃથ્વીવલયને જેતા તે જવા લાગ્યા. આ પ્રમાણે નિરંતર પ્રયાણવડે જતા તે પ્રભુ કુશસ્થળ નામના મોટા નગરની પાસેના ઉદ્યાનમાં પ્રાપ્ત થયા. ત્યાં કંધાવારનું સ્થાપન કરીને પછી પોતે ભુવનને ક્ષય અને રક્ષણ કરવામાં સમર્થ ભુજદંડવાળા છતાં પણ અને પ્રલય કાળના પ્રચંડ સૂર્યમંડળની જેવા મોટા પ્રતાપવાળા છતાં પણ કરુણાના સમૂહવડે ભરપૂર મનવાળા “આ કીડા જેવા રાજાઓને પીડા કરવાથી શું ફળ?” એમ મનમાં વિચાર કરતા પ્રભુએ સામ વગેરે નીતિમાર્ગમાં વિચક્ષણ અને પ્રસ્તાવ(સમય)ને ઉચિત બોલવામાં હુંશિયાર એવા દૂતને વિશેષ કહેવા લાયક પદાર્થને શીખવીને કલિંગ રાજા વિગેરે શત્રુની સમીપે મોકલે. ત્યારે મસ્તક ઉપર તેની આજ્ઞાને ધારણ કરતા તે દૂત મોટા સંરંભવડે વિલંબ રહિત (શીધ્ર) ગતિ કરીને તેમની પાસે ગયે, અને કહેવા લાગ્યું, કે-“હે રાજાઓ! કુશલપણાના અથી પુરુષને પિતાના સામર્થ્યને ગ્ય સમારંભ કરો એગ્ય છે. કેમકે તક્ષક નાગરાજના ફણા રત્નને ગ્રહણ કરવામાં પ્રવર્તેલ કેઈપણ માણસ કુશળતાને ભાગી થતું નથી. તે આ પ્રમાણે રાવણ જે પણ અને ગંડસ્થળમાંથી મદને ઝરનારા પણ હાથીઓ જે પર્વતના કટકને વિંધવા માંડે, તે દાંત રહિત થઈને તેઓ પાછા વળે.