SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વ કુમારની પિતા પ્રત્યે પ્રાર્થના. [ ૧૪૯ ]. ઉછાળતા, અને હાથમાં વિવિધ શસ્ત્રોને ધારણ કરનારા સર્વે સુભટના સમૂહ લેભ પામ્યા. તે વખતે અશ્વસેન રાજાએ અમાત્યને આજ્ઞા આપી, કે-“હાથી, અવ, સુભટ અને રથના સમૂહને એકદમ તૈયાર કરાવ.” ત્યારે તે અમાત્યે તરતજ પૃથ્વીતલના સમૂહને ક્ષોભ પમાડનારી મટી ભેરી વગડાવી. ત્યારપછી અકસ્માત તેને શબ્દ સાંભળવાથી જ પામેલા સુભટ અને હાથીના સમૂહ ઉછળવા લાગ્યા, અશ્વ અને ખચ્ચરની ખુરીના અગ્ર ભાગવડે ખોદાયેલી પૃથ્વી ઉપરથી ઉડતા રજના સમૂહવડે આકાશને અવકાશ રૂંધાઈ ગયે. તે જોઈને ચતુરંગ સેનાની તૈયારીની સંભાવના કરીને જગદ્દગુરુ પાર્વકુમાર રાજાની પાસે આવ્યા. અને પ્રણામ વિગેરે વિશેષ પ્રતિપત્તિ (સેવા) કરીને તરત જ આદર સહિત કિંકરે આણેલા સિંહાસન ઉપર બેસીને બોલવા લાગે, કે-“હે પિતા! તમારા દેશમાં શું કેઈએ ઉપદ્રવ કરવાનો આરંભ કર્યો છે? કે જેથી કરીને અગ્ય કાળે પણ રાજાઓ આમતેમ પાદનિક્ષેપ કરે છે, રાજમાર્ગ દુસંચારવાળા થયા છે, મોટી ઉછળેલી રેણુના સમૂહથી રૂંધાયેલા દિશાના સમૂહો દુખથી જોઈ શકાય તેવા થાય છે, વાયુએ ઉડાડેલા ગંધહસ્તીના કુંભસ્થળના સિંદૂર સમૂહન પરાગવડે રંજિત થયેલા કિરણસમૂહવાળું સૂર્ય. મંડળ જાણે અસ્તગિરિ ઉપર ચાલ્યું ગયું હોય તેમ દુઃખે કરીને જોવાલાયક થયું છે, તથા કમળવનના વિકાસના અનુમાનથી દિવસ પૂર્ણ થયે જણાય છે. તેથી કરીને હે પિતા! આ બધું શું છે?” ત્યારે રાજાએ કહ્યું, કે-“હે વત્સ! પ્રસેનજિત નામના મહારાજાએ મેકલેલ આ અમાત્યપુત્ર પુરૂષોત્તમ તને સર્વ વૃત્તાંત કહેશે, તેને તું સાવધાન થઈને સાંભળ.” પછી રાજાના અર્ધનેત્રના જેવાથી ઉત્સાહ પામેલા તે પુરુષોત્તમે તેને પ્રણામ કરીને મૂળથી સર્વ વૃત્તાંત યથાર્થ કહ્યો. ત્યારે કાંઈક હાસ્યના વશથી ઉઘાડેલા એણપુટમાંથી નીકળતા મને હર દાંતના કિરણોના સમૂહવડે દિશામંડળને વેત કરતા કુમારે કહ્યું કે – ' “હે પિતા ! આ તો થોડુંક જ કાર્ય છે. આટલા માત્રવડે પણ તમે તમારા આત્માને કેમ પ્રયાસ પમાડો છો ? હું પણ તેને યોગ્ય ઉપક્રમ કરીશ, તે દુષ્ટ શું માત્ર છે? જેથી મારા હોવા છતાં જો તમે આવા પ્રકારના કાર્યમાં પ્રયાસ (કણ) કરે, તે પછી પુત્ર શું કરે ?” આ પ્રમાણે બોલતા તે જગદગુરૂને મોટા નેહથી રાજાએ પિતાના ઉલ્લંગમાં બેસાડીને તથા મસ્તક ઉપર ચુંબન કરીને કહ્યું કે-“હે વત્સ! બીજે કોણ આવું કહેવાને જાણે છે? અથવા બીજા કાને આવો વિશુદ્ધ બુદ્ધિને ઉત્કર્ષ છે? આ પ્રમાણે દુષ્ટ જનને અનુશાસન કરવું એગ્ય જ છે. માત્ર અત્યારે પણ તારો પર્યાય (વય) સંગ્રામને યોગ્ય નથી, તેથી તું અહીં જ રહે, હું પોતે જ તે મોટા શત્રુનો નિગ્રહ કરીશ.” ત્યારે કુમારે કહ્યું, કે-“હે પિતા! શરીરને નાનો કે મોટો પર્યાય કહે, તે કારણ નથી, તેથી કરીને જ હું કાર્યને સાધનાર થયો છું.-સર્વ જગતમાં પ્રસરેલે અંધકારને સમૂહ સૂર્યના લેશ માત્ર તેજથી પણ વિનાશ પામે છે, તેથી મોટાપણું લાઘા કરવા લાયક છે, એ યુક્ત નથી. લઘુપણું પણ નિંદાને યોગ્ય કેમ હોય ? કેમકે અણુ જેટલો પણ શ્રેષ્ઠ મણિ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy