________________
[ ૧૧૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
આશી વડે વાચાળ મુખવાળા તે કુળપતિ બેઠા. પછી સ્નેહસહિત રાજાએ કહ્યું કે— “ હે ભગવાન! તમે આવા પરિશ્રમ કેમ લીધેા ? અમે અહીં કાંઇક સૈન્યના પડાવ નાંખવાના કારણે રહ્યા છીએ. નહીં તા તમારા ચરણકમળના દર્શનને માટે જ અમે પ્રથમ ચાલ્યા છીએ. ” ત્યારે કુળપતિએ કહ્યુ` કે–“ હે મહારાજા ! સામાન્ય રીતે પશુ અમારે અતિથિનું પૂજન કરવું ચેાગ્ય છે, તેા પછી ચારે આશ્રમના સ્વામી તમે પાતે જ અહીં પ્રાપ્ત થયા, તે વિષે શું કહેવું? અતિથિ સર્વોના ગુરૂ જ છે, એમ સામાન્યપણે પણ જગત્પ્રસિદ્ધ છે, તેા પછી અરણ્યમાં વસનારા મુનિઓને તેા પ્રસિદ્ધ હાય, તેમાં શું કહેવું ?” આ પ્રમાણે કહીને કુળપતિએ વિવિધ પ્રકારના મંગળ આચાર કરીને રાજાના પાણિગ્રહણને માટે પમાને આણી. તે વખતે માટા હના પ્રકને પામેલે રાજા ગાંધર્વ વિવાહવર્ડ તત્કાળ તે ખાળાને પરણ્યા. આ અવસરે તેણીના ભાઇ પદ્માત્તર બેચરાજાએ આ સમગ્ર વૃત્તાંત જાણીને વિવિધ પ્રકારના વિમાન ઉપર ચડીને ત્યાં પ્રાપ્ત થયા, અને ઘણા પ્રકારની ભેટ આપીને તથા તેને પ્રણામ કરીને બેઠા. વખતે રત્નાવળીએ કહ્યું કે-“ હે મહારાજા! આ મારા સપત્નીના પુત્ર છે, તે તમારા પાદની સેવાને ઇચ્છે છે. તેથી તમે તેવું કરા, કે જે રીતે તે જલદી વાંછિત અર્થના ભાગી થાય. જેમ પહેલાં વિષ્ણુએ આ પદ્મા( લક્ષ્મી દેવી )ને પેાતાના વક્ષસ્થળને વિષે નિવાસવાળી કરી હતી, તેમ આ પદ્માને પણ તમે કરજો. ” ત્યારપછી કપાળપટ્ટ ઉપર પાતાના એ હસ્તકમળ જોડીને ખેચરરાજા પદ્માત્તરે કહ્યું કે-“હું દેવ! મને ઉચિત આજ્ઞા કરે. આ જન નિરંતર તમારા કિકરની જેમ માટા ભૃત (સેવક) છે. તેથી ઉચિત કે અનુચિત કાર્ય માં તમારે જરા પણ શકા કરવી નહીં, ” તે વખતે પદ્મા પણ થવાના માતાના વિયેાગથી ઝરતા નૈત્રના અશ્રુજળવાળી થઈને “ક્યારે હું તમારા સુખદર્શનના સમયને જોઇશ ” એમ માતાના ચરણકમળને નમીને દુ:ખથી પીડાયેલી ખેલવા લાગી, તથા સુનિકન્યાઓ ઉપર અને નાના વૃક્ષા ઉપર ષ્ટિ નાંખવા લાગી. તે વખતે રત્નાવણીએ તેને કહ્યું કે “ હે પુત્રી ! તું કાંઇ પણ શેાક ન કરીશ, કેમકે ખેચરના નાથ ચક્રવતી જે તારા ભર્તા સાક્ષાત્ છે. અને આ નદાત્તરા સખી તારૂં કાર્ય સાધવામાં તત્પર તને સહાય કરનારી આવી છે. તેથી તારે કાંઇક થાડું પણ શાકનુ સ્થાન નથી. તારે ગુરૂને વિષે ભક્તિ, સ્વજનાને પ્રણામ, સારી રીતે શીલનું પાલન અને ધર્માંને વિષે રાગ આ સર્વ કાપિ તજવા નહીં.” પછી રત્નાવળીની જેમ કુલપતિએ પણ પ્રેમથી તેણીને અધિક ઉપદેશ આપ્યા. ત્યારે તે ખાળાએ
66
તેમજ હું કરીશ” એમ કહીને સર્વ અંગીકાર કર્યું. ત્યારપછી પ્રેમપૂર્વક તે સર્વેનું સન્માન કરીને તથા પદ્માત્તરનુ સન્માન કરીને સર્વેને વિદાય કરીને, રાજા પેાતાના નગરમાં ગયા.
તે વખતે નરેદ્રના આવવાથી વૃદ્ધિ પામતા હૈના સમૂહવડે પરિપૂર્ણ હૃદયવાળા નગરના લેાકેાએ ઊંચા કરેલા શ્વેત અને વિચિત્ર પ્રકારના ધ્વજપટના સમૂહવડે રમણીય,