SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ ? પ્રસ્તાવ ર જે ઃ આ અવસરે શિકારમાં પ્રવર્તેલા કુંડળ જેવા કરેલા, ધનુષ્ય ઉપર બાણને ચડાવી આમ તેમ પ્રાણીઓના સમૂહને ઘાત કરવાને ઈચ્છતા પર્વે કહેલા કુરંગ વનચરે તે મુનિને જોયા. ત્યાર પછી પૂર્વ ભવમાં અભ્યાસ કરેલા, ઉછળેલા અને જાણી શકાય તેવા કેપના આવેગથી “પ્રસ્તુત અર્થને આધીન આ છે” એમ જાણીને તે પાપીએ તીવ્ર ધનુષ્યથકી મૂકેલા એક બાણના પ્રહારવડે તે મહાત્માને પાડી દીધા. તે વખતે તેવા પ્રકારના તીર્ણ બાણથી હણાયા છતાં પણ પ્રાણીના સમૂહને જેવાના પ્રયત્નવાળી ચક્ષુને નાંખીને પૃથ્વીપીઠને જોઈને સર્વ આદરવડે પંચ નમસ્કારનું સ્મરણ કરતા તે મુનિ ઉચિત સ્થાનને વિષે ધીમે ધીમે બેઠા. પછી રોદ્રધ્યાન અને આધ્યાનને વજીને, “આ દુષ્કર્મના મથનને આશ્રીને મારો મોટે ઉપકારી છે. ચાકર રહિત એ મારે આ ચાકરની જેમ સહાયકારક છે.” એમ માનીને તથા “આ શરીર અત્યંત અધમ છે” એમ અવધારણ કરીને, સર્વ પ્રાણીઓના સમૂહની ક્ષામણ કરીને તથા ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરીને મધ્યમ રૈવેયકને વિષે લલિતાંગ નામે ઉત્તમ દેવ થયા. અને ત્યાં અત્યંત સુકૃતના સમૂહવડે પરિપૂર્ણ ઈચ્છિત અર્થવાળા, સારા સાધુની જેમ અનિંદ્ય, પૌષધવતને પામેલાની જેમ વ્યાપાર રહિત અને વીતરાગની જેમ સ્ત્રી રહિત તેણે કેટલોક કાળ નિર્ગમન કર્યો. તથા વળી– કાનને સુખ આપનાર કમળ (સુંદર) ગીતથકી પણ અનંતગુણ મૃદુ અને મંદ વાયુના સ્પર્શથી ઉત્પન્ન થયેલ ફાટિક મણિના વિમાનની ભીંતતા શબ્દને સાંભળતા, અહીંના રૂપ કરતાં પણ અનંતગુણા મણિના છજજાની ભીંતથી ઉત્પન્ન થયેલ વિવિધ પ્રકારના અનઘ (મહર) રૂપને અનિમેષ દષ્ટિવડે જોતા, ખીર (દૂધ), શેરડી અને સાકર વિગેરેની મીઠાશ કરતાં અનંતગુણા કરેલા ઉત્તમ રસને ઈચ્છા પ્રમાણે આસ્વાદન કરતા, વિકાસ પામેલી માલતી, બકુલ અને કેતકીના સુગંધથી અનંતગુણા સુગંધના સમૂહને નિરંતર અત્યંત અનુભવ કરતા, તથા હંસ, રૂ, પદ્દમગર્ભ, મેઘપટલ અને માખણના સ્પર્શથી અનંતગુણ સ્પર્શેન્દ્રિયને અનુકૂળ મોટા કેમળ સ્પર્શને અનુભવ કરતા, આ પ્રમાણે તે મહાભાગ્યશાળી અનવદ્ય ગ્રેવેયક ક્ષેત્ર સંબંધી પાંચ પ્રકારના સુખને અનુભવ કરતા સર્વદા રહે છે. કારણ કે વિષયાદિક પદાથો મોહરૂપી મહાપ્રકૃતિન પટક (પેટી)ને આધીન છે, અને મેહ મહાદુઃખરૂપ છે, તથા મેહનું તુચ્છપણું થાય તે અમૂલ્ય સુખ પ્રાપ્ત થાય. તેથી કરીને જ ક્રોધ, લોભ વિગેરે મટા દેથી અત્યંત ત્યાગ કરાયેલા છે જે મેટી સુખસંપદાને પામે છે, તે શું આશ્ચર્ય છે? ગુરુમહારાજ કહે છે કે – રાગાદિકથી રહિત છને આ સંસારમાં પણ જે સુખ છે, તે સુખ ચક્રવતી, દેવેંદ્ર અને બળદેવને પણ દુર્લભ છે. રાગદ્વેષરૂપી અગ્નિથી તાપ પામેલા અને વધતી તૃષ્ણાવાળા - ૧. પા૫ રહિત.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy