SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી પાનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જો ઃ નાશ પામનારા તેવા પ્રકારના પદાર્થને વિષે રાગી થાય છે, તે તૃષ્ણાથી પીડા પામ્યા છતાં ચંડાળને ઘેર પાણી માગે છે. હે પુત્ર! આવા પ્રકારની સામગ્રી શી રીતે સુલભ હાય ? સંસારસમુદ્રમાં પડેલા જીવાની ક્યાં ગતિ થાય ? તે કેણુ જાણે છે ? અચિંત્ય ચિંતામણિની જેવા મહામૂલ્યવાળા ધર્મ જ ખરા પુરુષાર્થ છે. તેથી તે ધર્મને જ માટે બુદ્ધિમાન લેાકે પ્રવૃત્તિ કરવી જોઇએ. તેથી હે પુત્ર! તું મને ધર્મનું સહાયપણ ગીકાર કર, સ્નેહના કાયરપણાના સÖથા ત્યાગ કર, રાજ્યના ભારને સ્વીકાર કર. હવે મારે અહીં શું કરવાનું છે ? અતુલ્ય મળ અને પરાક્રમવડે શત્રુના સમૂહને આક્રમણુ કરનાર તું જે મારા પુત્ર છે, સૈનિકા તારા ઉપર અતિ અનુરાગવાળા છે, અને અનીતિના નિગ્રહ કરવામાં પ્રધાન ( શ્રેષ્ઠ ) રાજમુદ્રા છે, તેથી કરીને પરમાર્થ રીતે પૂર્વે નહીં પ્રાસ–અનુભવેલું કાંઇ પણ નથી, તેથી ઘણી વાણીના વિસ્તારવર્ડ સર્યું, મારું વાંછિત પૂર્ણ કર. આ પ્રમાણે તેણે વારવાર કહ્યું, ત્યારે ચક્રાયુધે તે રાજ્ય અંગીકાર કર્યું. તેના રાજ્યાભિષેક કર્યો અને ઉપદેશ કર્યા. ત્યારપછી વજ્રમાં બાંધેલા તૃણની જેમ શ્રેષ્ઠ નગર સહિત અને અંત:પુર સહિત રાજ્યલક્ષ્મીના વિસ્તારને ત્યાગ કરીને રાજાએ જિનેશ્વર ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી, પછી સમગ્ર શાસ્ત્ર અને તેના અર્થના અભ્યાસ કરી, વિવિધ પ્રકારના તપવિશેષવડે શરીરને શુષ્ક કરી, ગુરુમહારાજની અનુજ્ઞા લઈને અને એકલવિહારી પ્રતિમાને ધારણ કરીને વિહાર કરવા લાગ્યા. .. અસંયમવડે ત્યાગ કરાએલ, એ પ્રકારના બંધનથી મુક્ત થયેલ, ત્રણ પ્રકારના ઈંડ વડે કાઈપણુ વખત દંડને નહિ પામેલ, ત્રણ ગુપ્તિવડે ગુપ્ત, ચાર કષાયથી દૂર થયેલ, પાંચ સમિતિવડે સદા સમિત, છ કાયની રક્ષામાં તત્પર, સાતે ભય રહિત મનવાળા, આઠ મદના સ્થાનને દૂર કરવામાં નિપુણું, નવ બ્રહ્મચ વડે ગુપ્ત અને દશ પ્રકારના ધર્મનું પાલન કરતા-આ પ્રમાણે ઘણા પ્રકારની સાધુક્રિયાના સમૂહવર્ડ મેટ્ટા માહાત્મ્યને પામેલા જાણે પાતે સાક્ષાત ધર્મ જ હાય તેમ શાલતા તે પૃથ્વીપીઠ ઉપર વિચરવા લાગ્યા. તેવામાં કાઇક દિવસે વિવિધ પ્રકારના દુષ્કર તપવિશેષવડે આકાશગામિની લબ્ધિનુ ખળ તેને પ્રાપ્ત થયું. અનિયત વૃત્તિવડે વિચરતા તે અનેક મહાપુરુષાવર્ડ યુક્ત, ધન, સુવર્ણ, ગાય, ભેંશ વિગેરે પશુવડે સમૃદ્ધિવાળા માટા સુચ્છ નામના દેશમાં ગયા. આ સમયે (આ તરફ ) તે પૂર્વે કહેલા એક ચેાજન પ્રમાણ શરીરવાળા કમઠના જીવરૂપ સર્પ મરુંભૂતિના જીવરૂપ કિરણવેગ નામના ક્રુતિને પૂર્વભવના વરના વશથી નાશ કરીને ઘણા પ્રકારના જીવાના સમૂહના ઘાતથી ઉપાર્જન કરેલા ઘણા પાપના સમૂહવાળા આમતેમ ( ચાતરમ્ ) ભમતા, અનેક મેટા વૃક્ષેાના સમૂહવડે સૂર્યના કિરણેાને રૂંધનાર પર્વતના એક પ્રદેશમાં વાયુવડે હીંચકા ખાતી ( ચલાયમાન ) વૃક્ષશાખાના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ દાવાનળની જ્વાળાના સમૂહથી મળતા શરીરવાળા અને રૌદ્રધ્યાનના વશથી પીડા પામેલા તે મરીને ધૂમપ્રભા નામની નરકપૃથ્વીને વિષે સવાસેા ધનુષ્યના ( પ્રમાણ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy