________________
(
•
પ્રભુને ચોથે ભવ-વજનાભની મુસાફરને થયેલી ઓળખાણું.
[ ૮૯ ]
પાછો વળીશ.” આ પ્રમાણે રાજાના આગ્રહને અને મોટા કાર્યને જાણુને દેવીએ તેને આમળા જેવા મોટા મોતીને હાર આપીને તથા બીજી બીજી કથાને વિષે મારું સ્મરણ કરજો, એમ કહીને તે રાજાને વિદાય કર્યો. આદર સહિત તે દેવીના હસ્તરૂપી પાસલાના જેવા તે હારને પોતાના કંઠમાં નાંખીને વેતાલની કરેલા સહાયવાળો તે રાજા નેત્રના નિમેષ માત્રમાં જ પિતાના નગરમાં પહેર્યો. તરત જ સિંહાસન ઉપર બેઠો અને નક્ષત્રના મંડળ વડે સૂર્યની જેમ હારવડે દશે દિશામાં પ્રસરેલા કાંતિના સમૂહવડે શોભતો તે રાજાને રાજ કે જે. ફરીથી મહોત્સવ થા, નગરના લેક અત્યંત ખુશી થયા, નહાર(બરફ)ના હાર જે કીર્તિને સમૂહ સર્વત્ર વિસ્તાર પામ્યા. આ પ્રમાણે આશ્ચર્યકારક અનુપમ ગુણરૂપી રત્નના રોહણાચળ પર્વત સમાન તે મોટા અનુભાવવાળા વંગરાજાના સત્ય ગુણેનું કીર્તન કરનાર લોકોનું પત્ર તેના વિરહના દુઃખરૂપી ભાલાવડે ભેદાયેલા હૃદયમાંથી નીકળતા જીવના રક્ષણ માટે જાણે પ્રાપ્ત થયું હોય તેમ તે મેં મોટા આદરથી પ્રાપ્ત કર્યું. રણરણ શબ્દ કરતે વચ્ચે વચ્ચે સ્વામીના બહુમાનથી હું વાંચું છું, તેથી કરીને તે ભાગ્યશાળી ! જે તમે પોતે જ આ પત્ર વાંચીને પૂછયું કે-“વંગરાજા કોણ છે? અને શત્રુને વિજય વિગેરે વ્યવસાય તેણે કેવી રીતે કર્યો ? એમ જે પૂછયું, તે આ સર્વ મેં નિવેદન કર્યું અને એક ક્ષણવાર શીતળ વૃક્ષની છાયામાં વિશ્રામ લીધે. હવે મને પ્રસ્તુત પ્રયજન કરવા માટે અનુજ્ઞા આપે. પછી અહે આશ્ચર્ય છે, આશ્ચર્ય છે કે જે અત્યારે પણ અસાધારણ સાહસરૂપી ધનવાળા પુરુષને સંભળાય છે. આથી જ કહેવાય છે કે-જ્ઞાન, તપ, શુરવીરતા, વિનય અને દાનને વિષે વિસ્મય કરે અયોગ્ય છે કેમકે આ પૃથ્વી બહુ રત્નવાળી જ છે.” આ પ્રમાણે વિચારીને વજનાભ રાજપુત્રે કહ્યું કે–“હે મુસાફર ! આ સર્વ મેં જાણ્યું, પરંતુ તે જે કહ્યું કે-“પ્રસ્તુત અર્થ કરવાની મને અનુજ્ઞા આપે,” તે તે પ્રસ્તુત અર્થ કયો છે?” મુસાફરે કહ્યું કે-“હવે હું તે કહું છું કે-“મેં તમને જે વિજયા રાજપુત્રી કહી હતી, તેનો વર નિમિત્તિયાએ વજવીર્ય મહારાજાને પુત્ર વનાભ કહ્યો છે. તે વરને જોવા માટે ચંદ્રકાંત રાજાએ મને મેક છે. આ પ્રસ્તુત પ્રયોજન છે.”
આ અવસરે અર્ધ ઉઘાડેલા એછવડે જરાક દાંતને પ્રગટ કરીને, શબ્દ બોલ્યા વિના ઉત્તરીય વસ્ત્રના છેડાવડે મુખકમળને ઢાંકીને તે રાજપુત્ર હસવા લાગ્યું. તે વખતે પરસ્પર અર્ધ નેત્રવડે તો પરિવાર જન બે કે-“ હે મહાનુભાવ! તે જ આ વજનાભ રાજકુમાર છે, કે જેના દર્શનની તું ઈચ્છા કરે છે.” આ પ્રમાણે સાંભળીને અત્યંત ઉલાસ પામતા હર્ષના ઉત્કર્ષવડે વિકસ્વર લેનવાળા તે પથિકે કહ્યું કે “અહો ! ભગવાન વિધાતા અનુકૂળ છે, કે જેથી પ્રયાસ વિના જ વાંછિત અર્થનો મેળાપ થયે, વળી બીજું, આજે મારો માર્ગને પરિશ્રમ સફળ થયે, આજે જ મારી દ્રષ્ટિ જોવા લાયક