________________
[ ૭૪ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર?? પ્રસ્તાવ ૨ જો :
:
અને અર્થથી તે વિજયા છે, પરંતુ રૂપને તે કદાચ નિરંતર વાણીને વિસ્તાર કરનાર ચાર મુખવાળો બ્રહ્મા કહેવાને પાર પામી શકે.” તે સાંભળીને વિશેષ ઉલ્લાસ પામેલા કૌતુકવાળા અંગરાજાએ કહ્યું કે–“તે પણ કાંઈક તેનું સ્વરૂપ કહે.” ઉપાધ્યાયે કહ્યું કે–“જો એમ હોય તે સાંભળ.–
હે નરેશ્વર ! હું એમ માનું છું કે–તેણના મુખનું લાવણ્ય જોઈને જાણે લજજા પાપે હેય તેમ ચંદ્રમા આકાશમાં ઊડી ગયો છે. પાકેલા બિંબ પુષ્પની શોભાને હરણ કરનાર તેણીના એકને જાણીને (જોઈને) જાણે પરાભવથી ભય પામ્યા હોય તેમ વિદ્ધમે (પરવાળા-રત્ન) પિતાને આત્મા સમુદ્રના જળમાં નાંખે છે. તેણીના ઊના (સાથળના) સૌભાગ્યથી જાણે પરાજય પામી હોય તેવી એક રંભા (કેળ) વનમાં લીન થઈ છે, અને જાણે તેણીના રૂપથી પરાભવ પામી હોય તેવી બીજી રંભા (અસર) સ્વર્ગમાં ગઈ છે. પુષ્ટ અને ઊંચા બે સ્તનવડે શોભતું તેણીનું હૃદય જાણે કે દ્વારને વિષે રહેલા બે સુવર્ણકળશવાળું કામદેવનું ઘર હોય તેમ શોભે છે. હે નરેશ્વર ! તેણીના એક એક અવયવનું સારી રીતે વર્ણન કરતાં પાર આવે તેમ નથી, તેથી સર્વ અંગની સુંદરતાનું વર્ણન તે દૂર રહો. વળી વધારે હું શું કહું? અનુપમ ગુણરૂપી રત્નથી વિભૂષિત થયેલી તેવી સ્ત્રી આ જીવેકને વિષે સંભળાતી નથી અને દેખાતી પણ નથી. ” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તે અંગરાજા તેણીનું દર્શન થયું નથી તો પણ તત્કાળ ઉલ્લાસ પામેલા કામદેવરૂપી મોટા પિશાચથી જાણે પરાભવ પામ્યો હોય, અને જાણે મેહરૂપી મહાગ્રહવડે નિગ્રહ(કેટ) કરાય હાય તેમ તેના જ ધ્યાનમાં રહેલ તથા કમળના પત્ર જેવા દીધું નેત્રવાળી તેણીને જ પિતાની પાસે(સમુખ), પાછળ અને બને પડખે રહેલી છે એમ માનતો બેલવા લાગે કે
હે દેવી ! આ પ્રમાણે ચપળતાથી સર્વ ઠેકાણે સંચાર કરતી તું મારા અર્ધ. સિંહાસન ઉપર બેસીને સ્થિર કેમ થતી નથી?” તે વખતે ઉપાધ્યાયે કહ્યું કે–“હે દેવ! કેમ આવો ઉલાપ કરે છે(બબડે છે) તે દેવી કયાં છે? તમે કયાં છે? આ તે કથા માત્ર જ છે.” તે સાંભળી પિતાના આત્માને સ્થિર કરી લજજા સહિત રાજાએ કહ્યું કે–“હે ઉપાધ્યાય! તમે કહો છો એમ જ છે, પરંતુ અમે તેણીના જ એક ધ્યાનમાં તત્પર હોવાથી એવી રીતની જે તેને અમે જોઈએ છીએ, અને બોલીએ પણ છીએ.” એમ કહીને પિતાના હાથવડે તાંબલ આપીને તે ઉપાધ્યાયને રજા આપીને તે અંગરાજા એવા કેઈક પ્રકારના કામના પરાધીન પણાને પામે, કે જેથી કરીને તે રાત્રિને જાણતો નથી, દિવસને જાણ નથી, દુઃખને જ પામે છે, સુખના લેશને પણ પામતે જ નથી, તથા ઘરને અરણ્ય જેવું માને છે. અહો ! કામને મેહ કેવો અતિ વિષમ છે? આ પ્રમાણે કાણની જેમ ચેષ્ટારહિત તે રાજા જેટલામાં વ્યાકુળ અવસ્થાવાળો રહે છે,