SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના ખીજો ભવ : પરસ્પર હિંસા કરતા એ વણિક પુત્રાને મુનિએ આપેલા ઉપદેશ. [ પ! ] મુનિરાજે તત્કાળ કાર્યાત્સ`ને પારી તે બન્નેને ભુજ ઇડને વિષે ધારણ કર્યાં, અને તેમને કહ્યું કે–“ હું મૂર્ખ ! આવી અધમ માસના જેવી ચેષ્ટા કેમ કરા છે ? અથવા સમ્યક્પ્રકારે કાર્યના વિચાર કર્યા વિના આવા અયેાગ્ય કાર્યને કેમ કરી છે ? હે મહાનુભાવ! અહીં તમે પરમાર્થના વિચાર કરો. આ જ સ્થાનમાં રહેલા તમે પાંચ વખત પરસ્પર શસ્ત્રાદિકના ધાતવડે વિનાશ પામ્યા છે. આટલા બધા અનર્થના સમૂહમાં ( અથવા અન - રૂપી પથારીમાં) પડ્યા છતાં પણ કેમ નિવેષઁદ (ખેદ) પામતા નથી ? કે જેથી હજી સુધી આવે। વ્યવસાય કરો છે! ?” આ પ્રમાણે સાંભળીને તે બન્ને તત્કાળ પેાતાની કર્મરૂપી ખેડી જાણે તૂટી ગઈ હાય, નેત્રકમળ જાણે ઝરતા હાય અને મેહરૂપી મદિરાના મદ જાણે નાશ પામ્યા હાય એવા થયેલા તે વિચારવા લાગ્યા- અડે। ! સર્વ પ્રાણીઓના પિતા તુલ્ય આ ભગવાન શું કહે છે? અથવા નિયપણે હાથમાં ખરૢ ધારણ કરીને તથા લજ્જા અને મયાર્દાના ત્યાગ કરીને અમે આ શુ કરવાના ઉદ્યમ કર્યા ? અમે આ વિષે કાંઇ પણ સારી રીતે જાણતા નથી, કે આ અશુભ અધ્યવસાય( વ્યાપાર )નું છું કારણ છે ? તેથી આ નિર્મળ જ્ઞાનરૂપી નેત્રવાળા ભગવાનને અમે પૂછીએ. ” આ પ્રમાણે વિચારીને ખર્ગના ત્યાગ કરી મુનિરાજના ચરણમાં પડી (વાંદી) આ પ્રમાણે પૂછવા લાગ્યા—“ હે ભગવાન ! અમારા ઉપર કૃપા કરીને આપ કહેા, કે કયા નિમિત્તવાળા પાંચ ભવમાં ઉત્પન્ન થયેલા અમારા વિનાશ છે ?” ત્યારે ભગવાન ખેલ્યા કે–“ તમે સાંભળેા કૈશાખી નગરીમાં તમે વિજયધર્મ અને ધનધમ નામના વણિકપુત્ર હતા. તે એકદા ઉત્તરાપથને વિષે તથાપ્રકારના વેપારવડે દ્રવ્ય ઉપાર્જન કરીને ત્યાંથી પાછા વળ્યા. તે વખતે માર્ગોમાં બિલની ધાડના ભયથી આ વનનિકુંજને વિષે દ્રવ્યના સાર પૃથ્વીમાં નાંખીને નાસવા લાગ્યા, તે વખતે તેમને ભિલ્રાએ પકડ્યા અને પઠ્ઠીમાં લઇ ગયા. ત્યાં મોટા દુ:ખથી ક્ષુધાવર્ડ ગ્લાનિ પામેલા કાળ કરીને (મરીને) ત્યાં જ ધન નાંખેલા ક્ષેત્રમાં તમે બન્ને રઉંદર થયા. ત્યાં ધનના લાભવડે પરસ્પર યુદ્ધ કરીને મરી ગયા. ફરીથી તે જ વનનિકુંજમાં વિજયધર્મોના જીવ સિદ્ધ થયેા, અને બીજો ણિપુત્ર થયા. તેને સિ ંહે છ્યા, ત્યારે તે ધનધના જીવ જવાનરપણું પામ્યા, અને બીજો ગૃહપતિપણાને પામ્યા. ત્યાં પરસ્પર નખના પાડવા વિગેરેવડે મરણ પામ્યા. પછી ધનધના જીવ પહરણ થયા, અને બીજો વનના ભુંડ થયેા. તેણે હરણને મારી નાંખ્યા, અને પાતે સિંહુથી હણાઇને મરી ગયા. ત્યાર પછી તે અને ગરીબ બ્રાહ્મણના પુત્રા સહેાદર ભાઇએ થઇને ધનને સ્થાને ગયા. ત્યાં પરસ્પર મારવાવડે જીવિતનેા ત્યાગ કરીને ( મરીને ) હમણાં અહીં સાતમા ભવમાં સગા ભાઈ થઈને આ પ્રમાણે વિનાશ કરવાને તૈયાર થયેલા તમને મે મુશ્કેલીથી નિવાર્યા છે. ’ આ પ્રમાણે તેમને પૂર્વના વૃત્તાંત મૂળથી નિવેદન કરીને શાંત થયા તેટલામાં તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પે,તે અનુભવેલું' પૂર્વનુ કર્મ સ્મરણ કરીને લજ્જાથી મીંચાયેલા જેટલામાં તે શ્રેષ્ઠ મુનિરાજ અત્યંત ક્રૂર અને નિયંતિ નેત્રવાળા અને ક્રોધરહિત
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy