SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના બીજો ભવ અને અરવિંદ મુનિએ અષ્ટપદ પર્યંત ઉપર કરેલી જિનેશ્વરની સ્તુતિ. [ ૩૫ ] કાંતિવાળા અને મેાટા જ્ઞાનના લાભને પામેલા હું ૨૧નમિજિનેદ્ર સ્વામી ! આપ જય પામેા. યાદવકુળરૂપી આકાશતલને વિષે ચંદ્ર સમાન અને કલંક રહિત જિનેશ્વર હે નેમિનાથ સ્વામી ! આપ જય પામે. સાત તત્ત્વને પ્રકાશ કરનાર અને નીલ કમલની જેવા વધુ ના શરીરવાળા હું ૨૩પાર્શ્વનાથ સ્વામી! આપ જય પામે. ગુણેાવડે વૃદ્ધિ પામતા અને દેવાએ જેનું અસાધારણ સન્માન કર્યું છે એવા હે વધ માન સ્વામી ! આપ જય પામેા. આ પ્રમાણે જિનેશ્વરની સ્તુતિ કરીને હર્ષોંના રોમાંચવડે જેનું શરીર ખખતરવાળું થયું છે એવા અરિવંદ રાજિષ તે અષ્ટાપદ્ધગિરિ ઉપરથી નીચે ઉતર્યા. ત્યાર પછી કાળના ક્રમે કરીને વિશેષ પ્રકારના તપ કરવાથી ક રૂપી રજન નાશ કરી તથા અનશનના વિધિ કરીને તે મુનિસ્વર્ગની લક્ષ્મીને પામ્યા. (૧૪). અહીં તેં હાથીના ટાળાના સ્વામી મેાટા ભાવથી ધને પામ્યા, સર્વ પ્રાણીઓના રક્ષણને માટે નેત્રવર્ડ સારી રીતે જોયેલા પૃથ્વીતળ ઉપર ધીમે ધીમે પગને મૂકતા હતા, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે ઉગ્ર તપ કરવામાં તેનું ચિત્ત ઉદ્યમવાળું હતું, સચિત્ત અને રસવાળા ( સ્વાદિષ્ટ ) શલકીના પાંદડાંનુ છેદન કરવામાં (તાડવામાં ) તે વિરામ પામ્યા હતા, અને પેાતાની મેળે પડેલા નીરસ વૃક્ષનાં સૂકાં અને પાકેલાં પાંદડાંવડે આહાર કરતા હતા, હાથણીએ અને તેના બાળકાની સાથે ક્રીડા કરવાનેા પ્રસંગ તેણે દૂરથી ત્યાગ કર્યાં હતા, તેનુ શરીર ગ્રીષ્મ ઋતુના ઉષ્ણુ તાપથી વિશેષ સુકાઈ ગયું હતું, મહામુનિની જેમ તેનુ મન સમિતિ અને સિરૂપ સંયમના ઉદ્યમમાં સજ્જ હતું, અચિત્ત શય્યા અને પાણીને તે વાપરતા હતા, નિરંતર જ ધર્મધ્યાનમાં નિશ્ચળ અને તન્મય ચિત્તવાળા તે કાળનુ નિર્ગીમન કરતા આ પ્રમાણે ભાવના ભાવતા હતા.—“ પુણ્યશાળી અને પૂજવા લાયક શ્રેષ્ઠ સાધુઓને ધન્ય છે, કે જેઓ નિર'તર સર્વ જીવાના સમૂહનું રક્ષણ કરવામાં તત્પર થઈને માટી શ્રદ્ધાવડે સમ્યક્ ધ્યાનમાં રહે છે. શીત, આતપ, ક્ષુધા, અને તૃષા વિગેરે પરિસહેાને સહન કરવામાં એક ( અદ્વિતીય ) ધીરજવાળા છે, આ પૃથ્વીતળ ઉપર નિર ંતર વિહાર કરે છે, માન અને અપમાન વગેરેમાં સમાન ચિત્તની વૃત્તિવાળા હાય છે, તૃણુ અને ર્માણ તથા શત્રુ અને મિત્ર વિગેરે સને વિષે સમભાવવડે 'ત:કરણમાં ભાવના ભાવે છે, પાંચે ઇંદ્રિયાના નિગ્રહ કરવામાં પ્રધાન ( મુખ્ય-અગ્રેસર ) છે, પેાતાને તથા બીજાને આ અપાર ભવસાગરથકી ઉતારતા અને અનુત્તર ( અતિ મેટા ) તપ અને સ ંચમવડે પૂર્વે કરેલા દુષ્ટ કાઁના સમૂહને નાશ કરતા તે મહાત્માએ વાયુની જેમ વિચરે છે. વળી હું તે સહને અયેાગ્ય તિર્યંચપણું પામેલેા હેાવાથી તેવા પ્રકારની સર્વિતિના પરિણામ મારા નાશ પામ્યા છે, મહાપાપને કરનારા મેાટા શરીરવડે પણ અનેક જીવાના ક્ષય કરનાર અને સર્પની જેમ દન માત્ર કરીને પણ સ લેાકના ઉદ્વેગ કરનાર છું, જેવા તેવા આહારવડે મારી કુક્ષિરૂપી શુકા પૂરાતી નથી, ઘેાડા પાણીવડે પણ મારી તૃષા છુપતી ( મટતી ) નથી, તિર્યંચ જાતિને લીધે તુચ્છ ( ઘણી ) અને અવિચ્છિન્ન ( છેઃ રહિત ) ક્ષુધાવડે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy