SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયવાસનાના સંગ વિશેષ તે વિશેષ પ્રકારે કરવા લાગ્યા. તેમજ વ્રતક્રિયા કરનારા પાપી મિત્રાથી પરિવરેલો તે સ્વચ્છંદ રીતે ફરવા લાગ્યા. વૈરાગ્યવાસિત મરુભૂતિની સ્ત્રી વસુંધરા સુદર યુવતી છે. યૌવનના પૂરબહારમાં આવેલી છે અને તેના પતિ તેની સામું પણ જતા નથી, તેને મેલાવતા નથી તેથી તે પેાતાના જીવતરને નિષ્ફળ માનતી હતી. એકદા તે વસુધરા સુંદર વસ્ત્રો ધારણ કરીને પોતાના ઘરનું કામકાજ કરતી હતી તે વખતે વિકારી નેત્રવાળા, પેાતાના ઊઁચ કુલાચારને ભૂલી જઇ કામાગ્નિવાળા કમઠે તેને જોઇ અને કાઇ પણ પ્રકારે સંગમ કરવાની પ્રુચ્છા તેણે તેને હાસ્ય સહિત, મનેાહર વિલાસવાળા વચનેવડે, તેણીના રૂપને વખાણીને ખેલાવી. તે વખતે · આ તે મારા જેઠ છે, ' તેમ જાણી વસુધરા ત્યાંથી નાશી ગઈ અને વિચારવા લાગી કે–લેાકવિરુદ્ધ, ધર્માં વિરુદ્ધ તેમજ વિકારવાળુ વચન મારા જેઠ કેમ મેલે છે ? આ પ્રમાણે વ્યાકુળ બનેલી તે હતી તેવામાં ક્રમઢે પાછળથી આવી તેને હસ્ત પકડી મધુર વચનથી કહ્યું કે-ડુ' તારા પ્રિયતમ હોવાથી તારું ક્રાઇ અનિષ્ટ કરનાર નથી. આમ કહી તેને આલિંગન આપે છે. વસુંધરા પણુ ‘તમે સસરા જેવા છે, તમને આ શાલે?' વિ કહે છે પરન્તુ તેના હાવભાવથી આધીન બને છે. કામદેવનું દુર્વાર્પણુ હોવાથી, સ્રોજનનુ દીગ્દર્શીપણું ન હેાવાથી, યવનપણાના પ્રસાર હવાથી, તેવા પ્રકારના હાવભાવ બનવાના હાવાથી ભવિષ્યમાં થનારા પતિના મેાટા વૈરને બાંધીને તે તેને સગ કરે છે. વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા જેવા મહાપુરુષાના માનનું ખંડન કરનાર કામદેવનેા પ્રસાર થાય છે. જમદગ્નિ, વસિષ્ઠ, પુલસ્ત્ય, વ્યાસ અને દુર્વાસા વિગેરે તપસ્વી ઋષિઓ પણ ભગ્ન પ્રતિજ્ઞાવાળા થઇને ખેદ પામ્યા હતા તેા આ ક્રમઢ જેવા પામર પ્રાણી શી ગણત્રીમાં ? - વૈરાગ્યવાસ્તિ યુવાન પુરુષ જ્યારે ત્યાગી બનવાના વિચાર કરે છે ત્યારે પાતાની : યુવાન પત્નીને પણ વૈરાગ્યવાસિત મનાવી ત્યાગી બને તે ઈચ્છવા યોગ્ય છે, નહિ તા પાછળ રહેલી સ્ત્રીઓ ઘણેભાગે અનાચારી બને છે. યુવાની, અજ્ઞાનપણું, નિરાધારપણું કે કપરા સંચાગે તેવી સ્ત્રીઓને અનાચારમાં ઢસડી જાય છે. આવા પ્રસ`ગા આપણે વર્તમાનકાળમાં પણ જોઈએ છીએ અને ભૂતકાળમાં પણ આવા ચિત્રાની પરપરામાં આવા બનાવા અનેલા છે તે જણાવે છે, જેથી ઉત્તમ આવા ચરિત્ર-પ્રથા વાંચી તેમાંથી મેધપાઠ લેવા જેવુ' છે; તે જ આવા ચરિત્રાનુ મનનપૂર્વક વાંચવાનુ` ફૂલ છે. ” લોકાપવાદ અને કુળમર્યાદાના ત્યાગ કરી વસુધરા સાથે ભાગ ભોગવતાં કેટલાક દિવસે ગયા બાદ તેની સ્ત્રી વરુણાને ઇર્ષ્યા ઉત્પન્ન થતાં, મરુભૂતિને તે વાત જણાવતાં તેને સંતાપ ઉત્પન્ન થાય છે. પ્રથમ તા તે વાત તેને અઘટિત લાગે છે, સત્ય માનતાં અચકાય છે, અને દ્વીપાત નરનું દૃષ્ટાન્ત આપે છે. ( પાનું ૧૨ ) ફરી કમઠની ભાર્યોએ તેવી હકીકત જણાવતાં મરુભૂતિએ જણુાવ્યુ ૩–એમ બન્યુ હાય તેા ઘટી શકે. “ કર્માંના પરિણામને કાણુ જાણી શકે ? '' પછી તે પણ પેાતાના ભાઇના દુષ્ટ આચરણની ખાત્રી કરવાને માટે બહારગામ જવાનું બ્હાનું જણાવી, ધરની બહાર નીકળી જાય છે, કમઠ પણ રાત્રિના નિશ્ચિત થઇ વસુંધરાની સાથે સૂતા, થોડા સમય બહાર રહી મરુભૂતિ પણ કાપડીના વેષ પહેરી, ભાષાનેા ફેરફાર કરી, પોતાના ધરમાં પેસી ક્રમને જણાવે છે કે–હે ધરનાયક ! મામાં થાકી ગયેલા એવા મને પરદેશીને અહીં રહેવાની જગ્ય! આપ. આ પ્રમાણે યાચના કરતાં તેને કમઠે ઓસરીમાં સૂવાનું જણાવ્યું. મરુભૂતિ ત્યાં કપટથી સૂતા બધું નજરાનજર નિહાળે છે. પોતે વૈરાગ્યવાસિત હતા છતાં અનાદિના મેહના અધ્યાસ હાવાથી ક્રોધે ભરાતાં અરવિંદ . રાજવીની પાસે જઇ હકીકત જણાવે છે. આ સાંભળી રાજાને ક્રોધ ચઢે છે અને તરત જ કમને પેાતાના સેવ¥ાદ્વારા પકડી
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy