________________
(
•
પ્રભુને પ્રથમ ભવ : મરૂભૂતિનું વર્ણન.
[ ૧૫ ]
સુવે, ખાય અને દેશની વાર્તા કહે. વળી બીજું કહું છું કે–જે ઘરમાં મુસાફર હર્ષ સહિત પ્રવેશ કરે, અને ત્યાં ઉતરવાનું સ્થાન ન મળે તો તેની આશા ભંગ થવાથી ત્યાંથી નીકળી જાય, તે તે ઘરવડે શું પ્રજન છે? (તે ઘર શું કામના છે?). ” તે સાંભળીને ઉત્પન્ન થયેલી મોટી કરૂણાના સમૂહવડે વ્યાપ્ત થયેલા કમઠે તેને કહ્યું કે “હે ભદ્ર! આ જ ઘરની ઓશરીમાં તું રહે.” ત્યારે સંતોષ પામેલ મરૂભૂતિ ત્યાં કપટથી સૂતો. ત્યારપછી રાત્રિને વિષે સર્વ યથાર્થ રીતે નિરૂપણ કરીને તેણે તે જ પ્રમાણે નજરે જોયું. ત્યારપછી ભાઈના અત્યંત ખરાબ આચરણ જોઈને મોટા કોને સમૂહ ઉત્પન્ન થયે. જો કે તે વિષયથી વિરાગવાળો હતા, તો પણ પરિગ્રહના વિષયવાળા મોહને અનાદિ ભવને અભ્યાસ હેવાથી, જુવાન અવસ્થામાં સારો વિચાર નહીં આવવાથી અને તેવા પ્રકારની દુષ્ટ ચેષ્ટા જેવાને અસમર્થ હેવાથી તે વિચારવા લાગ્યા કે –“અહો ! મોટા મોહ રાજાને આ કે દુષ્ટ વિલાસ છે? અહે ચંદ્રની જેવા નિર્મળ પોતાના કુળમાં કલંક ઉત્પન્ન કરવામાં કેવી કુશળતા છે? અહો ! ધર્મશાસ્ત્રના પરમાર્થનો વિચાર કરવામાં અવળા મુખવાળી મારા ભાઈની બુદ્ધિની આ કેવી વિટંબના છે? કે જેથી થવાની આપદાની પ્રાપ્તિનો વિચાર કર્યા વિના સામાન્ય મનુષ્યને પણ અયોગ્ય કાર્યને મોટો ભાઈ થઈને પણ નાનાની ચેષ્ટાને અનુસરતું દુષ્ટ કર્મ આચરે છે ? તે શું હું હવે આ સર્વનો ત્યાગ કરી પરદેશમાં જાઉં? અથવા તો આ વાત મિત્ર, સ્વજન અને બાંધવોને કહું? અથવા હું પોતે જ આને કાંઈ પણ શિક્ષા આપું ? અથવા તો આ સર્વ વિચાર અગ્ય છે, કેમકે કાળમાં લુબ્ધ થયેલા, મૂઢ, અકાર્યને કરનારા અને લજજા મર્યાદાને દૂરથી ત્યાગ કરનારા માણસોને સન્માર્ગમાં સ્થાપન કરવામાં રાજા સિવાય બીજા કેઈ પણ મિત્ર અને વજન વિગેરે સમર્થ નથી. તેથી હું તેવી રીતે કરું, કે જેવી રીતે બીજા માણસને પણ આવા પ્રકારના અકાર્ય કરવામાં ઉદ્યમ સંભવે નહીં. ” આ પ્રમાણે નિશ્ચય કરીને સ્વાભાવિક વેષને ધારણ કરીને તે અરવિંદ રાજાની પાસે ગયે, અને કમઠની દુષ્ટ ચેષ્ટાને યથાર્થ રીતે નિવેદન કરી. તે સાંભળીને રાજાને ક્રોધને વેગ ઉત્પન્ન થયા અને પિતાના પુરૂષોને હુકમ કર્યો કે –“અરે રે! નોકરો ! બ્રાહ્મણના કુળને કલંક લગાડનાર, વેદમાં કહેલી ક્રિયાના શત્રુરૂપ અને દુરાચારવાળા આ કમઠને છેદેલા કાનવાળા ગધેડા ઉપર બેસાડીને, તેની આગળ ખરાબ શબ્દવાળા ઢેલને વગડાવીને, અકાર્યના યથાર્થ વૃત્તાંતની આષણા સાંભળવા માટે એકઠા થયેલા મનુષ્યના ધિક્કાર શબ્દવડે તેના મનને છેદીને એકદમ નગરની બહાર કાઢી મૂકો.” ત્યારપછી “જેવી દેવની આજ્ઞા” એમ કહીને તરત જ તે રાજ પુરૂએ તે જ પ્રમાણે સર્વ કર્યું. ત્યારપછી તેવા પ્રકારના મોટા પરાભવરૂપી અગ્નિવડે મનમાં તપેલે, ધિકકાર સહિત નગરની બહાર કાઢી મૂકાયેલ, સરખી જાતિના લેકોના ચિત્તને સંતાપ ઉત્પન્ન કરનાર ત્રિક, ચતુષ્ક અને ઉચત્વર વિગેરે માર્ગમાં ગવાતા કુરિત્રવાળો તે કમઠ મનમાં ક્રોધ પામ્યા છતાં પણ મરૂભૂતિનું કાંઈ પણ અનર્થ કરવાને અર્સમર્થ થશે અને વિચારવા લાગ્યો.–