________________
[ ૧૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ : પ્રસ્તાવ ૧ લે ?
કહ્યું કે “મારો પતિ છે.” તેઓ બોલ્યા કે “એમ શી રીતે? કેમકે તારા પતિના રૂપથી, વયના પરિણામથી અને વર્ણથી આ જુદા પ્રકારને જ છે.” ત્યારે તે બોલી કે-“ દિવ્ય ઔષધિ, કંદ અને મૂળ ખાવાના પ્રભાવથી તે આવા પ્રકારને થયે છે.” ત્યારે તેઓ બેલ્યા કે “ભલે કાંઈ પણ છે. તું અમારી સાથે ચાલ, આપણે આપણા દેશમાં જઈએ.”
ત્યારે તે બોલી કે-“ જેવી તમારી આજ્ઞા. ” એમ કહીને તે વહાણમાં ચડી. કાળના કમે કરીને તે સર્વે પિતાની નગરીમાં પહોંચ્યા. તેની સાથે સર્વ સ્વજનોને સમૂહ આવ્યો. તે સ્વજનેએ તેણીને પૂછયું ત્યારે તેણીએ સર્વ યથાર્થ કહ્યું. કેવળ પતિના વૃત્તાંતને નહીં શ્રદ્ધા કરતા તે લેકેએ તે બાળકને એકાંતમાં પૂછયું કે-“હે ભદ્ર! તું કેણ છે? અને આ તારી શું સગી થાય છે?” ત્યારે તે બોલ્યો કે-“આ મારી ભાર્યા છે, હું એને પતિ છું. ” ત્યારે લેકે બેલ્યા કે “તું શેડા વર્ષની વયવાળે છે અને આ તે તારાથી બમણું તમણું પર્યાયવાળી (મોટી) છે, તેથી આ અત્યંત અસમાન છે. વળી આના પતિને અમે પહેલાં જે હતું, તેથી તેના પુત્ર જે લાગે છે, તેથી તું સાચે સાચું કહે.” ત્યારે તે બે કે-“આ મેં કહ્યું તેમ જ છે.” એમ કહીને તે મૈન રહો. હતુ અને કારણવડે હજારેવાર કહ્યા છતાં પણ તે કાંઈ પણ બોલ્યા નહીં. ત્યારે કેએ તેને ત્યાગ કર્યો. આવા પ્રકારને મનુષ્ય પૂર્વે અવળું સમજાવેલ હોવાથી પ્રભુ સેંકડો વચનથી પણ તેને સમજાવી શકે નહીં, તે પછી બીજા માણસ કેમ સમજાવવાને સમર્થ થાય?”
આ પ્રમાણે વરૂણાએ મરૂભૂતિને ભવિષ્યનું મહાકણ કહ્યું, ત્યારે તે વિચાર કર્યા વિના હદયમાં અત્યંત કે વહન કરવા લાગ્યા. આ પ્રમાણે પણ કઈ વખત હોઈ શકે છે. કર્મના પરિણામને કશું જાણું શકે ? તેવું કોઈ પણ વિધાન નથી, કે જે સંસારમાં ન સંભવે. આ પ્રમાણે તે મહાત્માનું ચિત્ત વિષયસુખથી નિવૃત્ત થયું છે, તે પણ મોટા ભાઈના દુષ્ટ કાર્યની ખાત્રી કરવાની તેની ઈચ્છા થઈ. આકારને ગુપ્ત કરવા માટે તે મહાત્મા બેલતી એવી ભાભીને નિવારીને તથા “ કયા ઉપાયથી મારે અકાર્ય કરનાર અને જાણો ?” એમ વિચાર કરીને “હું આજે પરગામ જાઉં છું.” એમ કમઠને કહીને તે તરત જ ઘરમાંથી નીકળી ગયે. કમઠ પણ “આજે જ મારૂં ચિંતવેલું કાર્ય નિર્વિઘ પાર પામશે ” એમ જાણે મનમાં હર્ષ પામે. અને રાત્રિને સમયે શંકા રહિત તેણીની સાથે સૂતે. હવે મરૂભૂતિ થેડીક પૃથ્વી દૂર જઈને ત્યાં ક્ષણવાર વિલંબ કરીને પાછો વળે, અને રાત્રીએ કાપડીયાને વેષ ધારણ કરીને પિતાના ઘરમાં પેઠે. જીર્ણ કપડાને ધારણ કરનાર અને હાથમાં નાના કળશને ધારણ કરતા તેણે ભાષાને પણ ફેરફાર કર્યો, તથા જંઘા અને ઉરૂસ્થળને વિષે પાટા બાંધ્યા. પછી અત્યંત દીન મુખવાળા તેણે કમઠને કહ્યું કે-“હે ઘરના નાયક! લાંબે માર્ગે ચાલવાથી થાકી ગયેલા મને પરદેશીને અહીં રહેવાની જગ્યા આપ. તે જ ભવન (ઘર) કહેવાય, કે જેમાં મુસાફરે પિતાના ઘરની જેમ રહે, રમે,