________________
[<]
પ્રસ્તાવ ૧ લા : : શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :
“ અરે રે ! અત્યંત શેકના માટા ભારવડે જેના મુખનુ` મલિનપણું ઉત્પન્ન થયું છે એવા તમે મનમાં ઉદ્વેગ લાવીને સંતાપને કેમ ધારણ કરેા છે ? સર્વ સારભૂત વસ્તુએ હરણુ કરાઈ હાય તેમ અને હૃદય નાશ પામ્યું. હાય તેમ આ પ્રમાણે નેત્રના જરા પણ વિક્ષેપ( આમતેમ જોવુ) ન થાય તેમ માત્ર પૃથ્વીની સામું કેમ જુએ છે ? દેવ, અસુર વિગેરે, ત્રણે ભુવનને વિષે દુ:ખે કરીને વારી શકાય એવા મૃત્યુના આવા પ્રકારના વ્યાપારને તમે અનંતવાર જોતા છતાં પણ શું જાણતા નથી ? કે જેથી કરીને તમે અત્યંત ખેદ પામેા છે ? મેાક્ષના સાધનરૂપ ધર્મક્રિયાને કરતા નથી? અને માહથી વ્યાકુળ મનવાળા તમે 'ગજ નિમીલિકાની જેમ રહેા છે ? આ જગતમાં યેા જીવ એવા થયા છે ? થાશે ? કે થાય છે ? કે મેક્ષમાં ગયેલા જીવા સિવાયના જીવ મૃત્યુને પામ્યા નથી, પામશે નહીં અને પામતા નથી ? અથવા તે। આ શે। વિવેક છે ? કે જે આ વિનાશવંત સંસારમાં દેખાય છે અને શાસન કરાય છે. તેા પણ ખેદ રહિતપણે તમે તે જાણતા નથી ? જો જિનેશ્વરના મત( ધર્મ )ને જાણતા છતાં પણ મેટી આપત્તિને વિષે આ પ્રમાણે ખેદ પામેં છે, તા પછી વિવેકના વૃત્તાંતની વાર્તા તા દૂર જ જતી રહી. કયેા ડાહ્યો માણસ સર્વ જીવાને સાધારણ એવા મરણને વિષે અથવા તે। પ્રિયના વિયોગને વિષે મર્યાદા રહિત થઈને શાક કરે ? ઘણું કહેવાથી શું ? જેનેા પ્રતિકાર( ઉપાય ) થઇ શક્તા નથી એવા અધમ યમરાજાને વિષે ધરૂપી ઔષધને છેડીને બીજું કાંઇ પણ રક્ષણુ કરનાર નથી. આ પ્રમાણે મનમાં જાણીને( નિશ્ચય કરીને ) તમે જરા પણ શાક ન કરતા તેવા પ્રકારે ધર્મકાર્ય માં રમા, કે જે પ્રકારે નિત્ય આવાસમાં( મેક્ષમાં ) વસેા( જઇ શકે। ). આ પ્રમાણે ગુરુમહારાજના ઉપદેશને ધારણ કરી અને શાકના આવેગના ત્યાગ કરી તે કમઠ અને મરુભૂતિ પ્રારંભ કરેલા કાર્ય કરવામાં ઉદ્યમવાળા થયા. તેમાં નાના ભાઇ મરુભૂતિને સંસારની અસારતાના નિરૂપણું કરવાથી સંવેગ( વૈરાગ્ય ) ઉત્પન્ન થયા, પાંચે વિષયના સંગના રાગ વિનાશ પામ્યા, માયા ઇંદ્રજાળની જેવા અથવા ગાંધર્વ નગરની જેવા ગૃહવાસને માનવા લાગ્યા, બાલ્યાવસ્થાના દુઃ વિલાસ( ક્રીડા )નું સ્મરણ કરવાથી ઘણું પશ્ચાત્તાપ ઉત્પન્ન થયે।, તેથી કરીને નિરંતર વિશુદ્ધ ધર્મ કાર્યના પ્રારંભ કરવા લાગ્યા, તથા સારા રૂપવાળી પેાતાની સ્ત્રી( અથવા પરસ્ત્રી )ના મુખ ઉપર પણ ચક્ષુને નહીં નાંખતા ક્ષણે ક્ષણે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા.
,,
66
પુણ્ય રહિત જીવાને દુલ ભ અને પૂર્વ પ્રાપ્ત નહીં થયેલી મનુષ્યપણાદિક આ સામગ્રી કાઈ પણ શુભ કર્મના ઉદયવર્ડ પ્રાપ્ત થઈ છે. તેમાં પણું સર્વ શાસ્રના અર્થના પારને પામેલા ગુરુની સાથે સાગ થયે, તેમાં પણ તેના ઉપદેશ હૃદયમાં આળેખાયેલા હાય તેમ પ્રાપ્ત થયા. તેમ જ પરમાર્થની ભાવનાવડે સંસારનું સ્વરૂપ અત્યંત ૧. જેમ હાથી મૈત્રાને બંધ કરીને સ્થિર રહે છે તેમ,