________________
ચોવીસ તીર્થકરો પાસે પ્રસાદની યાચના (સૂ.-૫) * ૫૧ एवमेतावता ग्रन्थेन तिस्रोऽपि मूलसूत्रगाथा व्याख्याता इति ॥ अधुना सूत्रगाथैव
एवं मए अभिथुआ विहुयरयमला पहीणजरमरणा।
चउवीसंपि जिणवरा तित्थयरा मे पसीयंतु ॥५॥ (सू.) अस्या व्याख्या-'एवम्' अनन्तरोक्तेन 'मए' इत्यात्मनिर्देशमाह, 'अभिष्टुता' इति आभिमुख्येन स्तुता अभिष्टुता इति, स्वनामभिः कीर्तिता इत्यर्थः, किंविशिष्टास्ते ?- 5 'विधूतरजोमला:' तत्र रजश्च मलश्च रजोमलौ विधूतौ-प्रकम्पितौ अनेकार्थत्वाद्वा अपनीतौ रजोमलौ यैस्ते तथाविधाः, तत्र बध्यमानं कर्म रजो भण्यते पूर्वबद्धं तु मल इति, अथवा बद्धं रजः निकाचितं मलः, अथवेर्यापथं रजः साम्परायिकं मल इति, यत एवैवम्भूता अत एव प्रक्षीणजरामरणाः, कारणाभावादित्यर्थः, तत्र जरा-वयोहानिलक्षणा मरणं तु प्राणत्यागનક્ષi, pક્ષીને રામર રેષાં તે તથવિધાઋતુર્વિશતિરપિ, પિશબ્દાત્તપિ , નિનવર:' 10 श्रुतादिजिनप्रधानाः, ते च सामान्यकेवलिनोऽपि भवन्ति अत आह-तीर्थकरा इति, एतत्समानं पूर्वेण, 'मे' मम, किं ?-'प्रसीदन्तु' प्रसादपरा भवन्तु, स्यात्- क्षीणक्लेशत्वान्न पूजकानां વર્ધમાન નામ પડ્યું. ૧૦૯૧ી આ પ્રમાણે આટલા શ્લોકોવડે મૂળસૂત્રની ત્રણે ગાથાઓનું વ્યાખ્યાન કર્યું. * અવતરણિકા :- હવે સુત્રગાથા જ જણાવે છે કે
15. સૂત્રાર્થ :- આ પ્રમાણે મારાવડે સ્તવના કરાયેલા, રજ અને મલ વિનાના, નાશ પામ્યા છે જરા-મરણ જેમના, જિનોમાં ઉત્તમ એવા ચોવીસે તીર્થકરો મારી ઉપર પ્રસન્ન થાઓ.
ટીકાર્થ :- હમણાં જ કહેવાયેલા પ્રકારે, “મારાવડે” આ શબ્દ પોતાને જ જણાવનારો છે. અભિમુખ્યતાએ સ્તવના કરાયેલા અર્થાત્ સ્વનામોવડે કીર્તન કરાયેલા, પાછા કેવા ? તો કે – ‘વિધૂતરજમલ' અર્થાતુ દૂર કરાયેલા છે રજ અને મલ જેમનાવડે તેવા, અહીં બધ્યમાન કર્મો 20 રજ તરીકે અને પૂર્વબદ્ધ કર્મો મલ તરીકે જાણવા. અથવા બદ્ધકર્મો રજ તરીકે અને નિકાચિત કે મલ તરીકે જાણવા. અથવા ઈર્યાપથિક કર્મ (૧૧મા વિગેરે ગુણસ્થાનકે યોગ પ્રત્યયિક જે કર્મ બંધાય તે) રજ તરીકે અને સામ્પરાયિક કર્મ (૧૦મા ગુણસ્થાનક સુધી કષાયપ્રત્યયિક જે બંધાય તે) મલ તરીકે જાણવા. જે કારણથી વિધૂતરજમલ છે તે કારણથી જ પ્રક્ષીણજરામરણ છે, અર્થાત્ કારણનો અભાવ થવાથી જરા-મરણ જેના નાશ પામ્યા છે તેવા, અહીં જરા એટલે 25 ઉંમરહાનિ વૃદ્ધાવસ્થા અને મરણ એટલે પ્રાણ નો ત્યાગ થવો. નાશ પામ્યા છે જરા-મરણ જેમનાં તે પ્રક્ષીણજરા-મરણ (એ પ્રમાણે સમાસ જાણવો.), ચોવીસે પણ, અહીં “પણ” શબ્દથી ચોવીસ સિવાયના અન્ય તીર્થકરો પણ ગ્રહણ કરવા. જિનવર એટલે શ્રુતજિન, અવધિજિન વિગેરે જિનોમાં પ્રધાન. આવા તો સામાન્ય કેવલિઓ પણ હોઈ શકે છે. તેથી કહે છે કે – તીર્થકરો, અહીં તીર્થકરશબ્દની વ્યાખ્યા પૂર્વે જે કરી તેને સમાન જ છે. મારા પર શું? પ્રસાદપર થાઓ 30 (અર્થાત્ મારી ઉપર પ્રસન્ન થાઓ, અહીં ટીકાનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.)
શંકા - “ક્લેશ ક્ષીણ થયેલ હોવાથી જ તીર્થકરો પૂજકોને ભક્તોને પ્રસાદ આપનારા