SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોના ધ્યાતા (ધ્યા.-૬૪) * ૩૫૭ एएच्चिय पुव्वाणं पुव्वधरा सुप्पसत्थसंघयणा । दोण्ह सजोगाजोगा सुक्काण पराण केवलिणो ॥६४॥ व्याख्या 'एत एव' येऽनन्तरमेव धर्मध्यानध्यातार उक्ताः 'पूर्वयोः' इत्याद्ययोर्द्वयोः शुक्लध्यानभेदयोः पृथक्त्ववितर्कसविचारमेकत्ववितर्कमविचारमित्यनयोः ध्यातार इति गम्यते, अयं पुनर्विशेष:-'पूर्वधराः' चतुर्दशपूर्वविदस्तदुपयुक्ताः, इदं च पूर्वधरविशेषणमप्रमादवतामेव 5 वेदितव्यं, न निर्ग्रन्थानां, माषतुषमरुदेव्यादीनामपूर्वधराणामपि तदुपपत्तेः, 'सुप्रशस्तसंहनना' ગાથાર્થ :- આ જ અપ્રમત્ત વિગેરે મુનિઓમાં જેઓ પૂર્વધર અને પ્રથમ સંઘયણવાળા છે તેઓ શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોના ધ્યાતારો છે. છેલ્લાં બે શુક્લધ્યાનના ભેદોના ધ્યાતારો સયોગી-અયોગી કેવલિઓ છે. ટીકાર્થ ઃ આ લોકો જ એટલે કે જે હમણાં પૂર્વે જ ધર્મધ્યાનના ધ્યાતારો કહ્યા. તેઓ જ 10 પ્રથમ બે શુક્લધ્યાનના ભેદોના એટલે કે પૃથકુત્વવિતર્કસવિચાર અને એકત્વવિતર્કઅવિચાર નામના બે ભેદોના ધ્યાતારો જાણવા. માત્ર ફરક એટલો જ કે આ ધ્યાતારોમાં જેઓ ચૌદપૂર્વને જાણનારા અને તેના જ્ઞાનમાં ઉપયુક્ત છે. તેઓ શુક્લધ્યાનના ધ્યાતારો જાણવા. આ પૂર્વધરવિશેષણ અપ્રમાદવાળા સાધુઓનું જ જાણવું, પરંતુ ક્ષપક કે ઉપશામક નિર્ઝન્થોનું નહીં, કારણ કે માપતુષ, મરુદેવી વિગેરે પૂર્વધર ન હોવા છતાં શુક્લધ્યાનની તેમને પ્રાપ્તિ થઈ છે. 15 " (અહીં આશય એ છે કે – ધર્મધ્યાનના ત્રણ ધ્યાતારો કહ્યા, (૧) અપ્રમત્ત મુનિ, (૨) ક્ષપકનિર્ઝન્થ, (૩) ઉપશામકનિર્ઝન્થ. આ જ ધ્યાતારો શુક્લધ્યાનના પ્રથમ બે ભેદના પણ કહ્યા. માત્ર એટલો ફરક કે તેઓ પૂર્વધર હોવા જોઈએ. એમ આ ગાથામાં કહ્યું. જો આ પૂર્વધરવિશેષણ ત્રણે સાથે જોડવામાં આવે તો માણતુષમુનિ, મરૂદેવીમાતા વિગેરે કે જેઓ ક્ષપકનિગ્રંથ બનીને શુક્લધ્યાનના ભેદોને પામ્યા છે, તેઓ ચૌદપૂર્વધર નહોતા. તેથી આપત્તિ 20 આવે. તે ન આવે માટે ટીકાકારે ખુલાસો કર્યો છે કે આ વિશેષણ અપ્રમત્તમુનિઓનું જાણવું પણ નિર્ઝન્થોનું નહીં, અર્થાત્ અપ્રમત્ત એવા પૂર્વધરોને શુક્લધ્યાનના પ્રથમ બે પ્રકાર હોય છે. એટલે કે અપ્રમાદી હોવા છતાં ‘પૂર્વ શાસ્ત્ર ન ભણેલા હોય તેવા મુનિઓ માત્ર ધર્મધ્યાન કરી શકે, શુક્લધ્યાન નહીં. આ શરત ક્ષપક-ઉપશામકનિર્ઝન્થને લાગુ પડતી નથી. તેઓ ‘પૂર્વશાસ્ત્ર ન પણ ભણ્યા હોય છતાં ક્ષપક-ઉપશામક અવસ્થામાં કષાયની મંદતા અને સામર્થ્યયોગના 25 પ્રભાવે તથાવિધ જ્ઞાનાવરણકર્મનો ક્ષય થવાથી પૂર્વશાસ્ત્રમાં કહેલ સૂક્ષ્મપદાર્થનું જ્ઞાન તેઓને સૂત્રથી નહીં પણ અર્થથી પ્રગટ થઈ જાય છે. આ રીતે હોવા છતાં પણ તેઓ પૂર્વધર કહેવાતા નથી. તેથી અપૂર્વધર એવા પણ તેઓને પક-ઉપશામક અવસ્થામાં શુક્લધ્યાનના પહેલા બે પ્રકાર હોય છે. માપતુંષ મુનિ જેવાને આ રીતે ક્ષપકનિર્ઝન્થ બનતાં શુક્લધ્યાન આવી જાય છે. ટૂંકમાં સાર એટલો કે સાતમા ગુણસ્થાનકે રહેલા અપ્રમત્તમુનિઓમાં જે પૂર્વધર હોય તેવા જ 30 અપ્રમત્તમુનિઓ શુક્લધ્યાનના બે પ્રકારોને પામે છે. તે સિવાયના અપ્રમત્તમુનિઓ ધર્મધ્યાન
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy