________________
તિર્દિ સèર્દિ... સૂત્રનો અર્થ * ૨૭૩ पंडिक्कमामि तिहिं सल्लेहि-मायासल्लेणं नियाणसल्लेणं मिच्छादंसणसल्लेणं । पडिक्कमामि तिहिं गारवेहिं इड्डीगारवेणं रसगारवेणं सायागारवेणं । पडिक्कमामि तिहिं विराहणाहि-णाणविराहणाए दंसणविराहणाए चरित्तविराहणाए । पडिक्कमामि चउहि कसाएहि कोहकसाएणं माणकसाएणं मायाकसाएणं लोहकसाएणं । पडिक्कमामि चउहि सण्णाहिं आहारसण्णाए भयसण्णाए मेहुणसण्णाए परिग्गह- 5 सण्णाए। पडिक्कमामि चउहि विकहाहि इत्थिकहाए भत्तकहाए देसकहाए रायकहाए। पडिक्कमामि चाहिं झाणेहिं अटेणं झाणेणं रुद्देणं० धम्मेणं० सुक्केणं० । ___ प्रतिक्रामामि त्रिभिः शल्यैः करणभूतैर्योऽतिचारः कृतः, तद्यथा-मायाशल्येन निदानशल्येन मिथ्यादर्शनशल्येन, शल्यतेऽनेनेति शल्यं-द्रव्यभावभेदभिन्नं, द्रव्यशल्यं कण्टकादि, भावशल्यमिदमेव, माया-निकृतिः सैव शल्यं मायाशल्यम्, इयं भावना-यो यदाऽतिचारमासाद्य मायया 10 नालोचयत्यन्यथा वा निवेदयत्यभ्याख्यानं वा यच्छति तदा सैव शल्यमशुभकर्मबन्धनेनात्मशल्यनात् तेन, निदानं-दिव्यमानुषद्धिसंदर्शनश्रवणाभ्यां तदभिलाषानुष्ठानं तदेव शल्यमधि
સૂત્રાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ:- કરણભૂત એવા ત્રણ શલ્યોના કારણે જે અતિચાર સેવાયો છે તેને હું પ્રતિક્રમણ કરું છું – (માં ત્રણ શલ્યોના કારણે ?_) તે આ પ્રમાણે – માયાશલ્ય, નિદાનશલ્ય અને 15 મિથ્યાદર્શનશલ્યના કારણે. જેનાવડે જીવ વીંધાય=ભોંકાય છે એટલે કે પીડાય છે તે શલ્ય. તે શલ્ય દ્રવ્ય-ભાવભેદથી બે પ્રકારે છે. તેમાં કાંટા વિગેરે દ્રવ્યશલ્ય છે અને ભાવશલ્ય તરીકે આ જ એટલે કે માયાદિશલ્યો જાણવા.
માયા એટલે કપટ. તે જ શલ્ય તે માયાશલ્ય. આશય એ છે કે જે સાધુ અતિચારને સેવ્યા પછી જયારે માયાથી તેની આલોચના=ગુરુને નિવેદન કરતો નથી અથવા ખોટી રીતે કરે છે 20 અથવા બીજા ઉપર આળ ચઢાવે છે ત્યારે તે સાધુની તે માયા જ શલ્ય તરીકેનું કામ કરે છે અર્થાત્ તે માયા જ શલ્યરૂપ બને છે, કારણ કે આ માયાથી તે જીવને અશુભ કર્મબંધ થાય છે અને તે કર્મબંધ થવાથી જીવ વીંધાય છે=રીબાય છે. આ રીતે માયાશલ્ય શબ્દનો અર્થ કહ્યો. હવે મૂળમાં આ શબ્દ તૃતીયા વિભક્તિમાં હોવાથી આ શબ્દને અહીં પણ તૃતીયાવિભક્તિ જણાવવા કહે છે –) તેનાવડે એટલે કે માયાશલ્યના કારણે (જે અતિચાર...)
25 . દેવ કે મનુષ્યસંબંધી ઋદ્ધિને જોવાથી કે સાંભળવાથી તે ઋદ્ધિને પ્રાપ્ત કરવા માટેની ઇચ્છાથી થતું અનુષ્ઠાન તે નિદાન. (નિદાનની આ વ્યાખ્યા પણ કારણમાં કાર્યના ઉપચારથી જાણવી. વાસ્તવિક વ્યાખ્યા ચૂર્ણિકાર કરે છે – આવી ઇચ્છાપૂર્વકના અનુષ્ઠાનની આલોચના કર્યા વિનાના સાધુને પરભવમાં નિશ્ચિત ઉદયવાળો જે કર્મબંધ થાય તે નિદાન જાણવું.) આવા પ્રકારના નિદાનથી હિંસાની અનુમોદના (=તે દેવ કે મનુષ્ય આવા પ્રકારની ઋદ્ધિ પામવા માટે 30 જે હિંસા ભૂતકાળમાં કરી અને ઋદ્ધિ પામ્યા બાદ જે કોઈ હિંસા આચરી રહ્યો છે તે હિંસાની