________________
કુશીલો સાથે વાતચીત પણ ત્યાજ્ય (નિ.-૧૧૧૯) * ૯૭ आहाचार्यः-ननु विहितोत्तरमेतत् 'भावुग अभावुगाणि य' इत्यादिग्रन्थेन, अत्रापि च केवली अभाव्यः पार्श्वस्थादिभिः, सरागास्तु भाव्या इति । आह-तैः सहाऽऽलापमात्रतायां संसर्यां क इव दोष इति ?, उच्यते
ऊणगसयभागेणं बिंबाइं परिणमंति तब्भावं ।
लवणागराइसु जहा वज्जेह कुसीलसंसरिंग ॥१११९॥ व्याख्या-ऊनश्चासौ शतभागश्चोनशतभागः शतभागोऽपि न पूर्यत इत्यर्थः, तेन तावताशेन प्रतियोगिना सह सम्बद्धानीति प्रक्रमाद्गम्यते "बिम्बानि' रूपाणि 'परिणमन्ति तद्भावं' आसादयन्ति तद्भावं लवणीभवन्तीत्यर्थः, लवणागरादिषु यथा, आदिशब्दाद्भाण्डखादिका
(આશય એ છે કે જો સંસર્ગના પ્રભાવથી આંબો લીમડાપણાને પામતો હોય તો શેરડીના સંસર્ગથી નલતંબ મંધુર કેમ બનતો નથી ? બનવો જોઈએ, પરંતુ બનતો નથી. માટે સંસર્ગ 10 મુખ્ય નથી.) I/૧૧૧૮'
આચાર્ય કહે છે – આ પ્રશ્નનો જવાબ પૂર્વે કહેવાઈ ગયો છે કે ભાવુક અને અભાવુક... (આશય એ છે કે પૂર્વે કહી જ ગયા કે બે પ્રકારના દ્રવ્યો હોય છે – ભાવુક અને અભાવુક. તેમાં આંબો એ ભાવુક હોવાથી લીંબડા સાથેના સંસર્ગથી લીંબડાપણાને પામે છે. જ્યારે નલતંબ એ અભાવુક હોવાથી શેરડી સાથે સંસર્ગ થવા છતાં મધુર બનતો નથી. 15 આમ અભાવુકદ્રવ્યોમાં સંસર્ગની અસર ન થવા છતાં સંસર્ગ ભાવુકદ્રવ્યો માટે તો દોષવાન છે જ. અને પૂર્વે કહ્યું જ કે જીવ અનાદિકાળથી વિપરીતભાવનાઓથી ભાવિત હોવાથી સંસર્ગમાત્રથી પણ શીધ્ર ભાવિત થાય છે માટે સંસર્ગ જીવ માટે દોષવાન છે.) જો કે (બંને વૃક્ષ હોવા છતાં જેમ આંબો ભાવુક, નલ ભાવુક છે) તેમ જીવમાં કેવલી પાર્થસ્થાદિવડે અભાવ્ય અને સરાગી જીવો ભાવ્ય જાણવા.
અવતરણિકા :- શંકા - પાર્થસ્થાદિ સાથે એકવારની વાતચીતરૂપ સંસર્ગ કરવામાં કોની જેમ દોષ લાગે ? તે કહે છે ?
- ગાથાર્થ :- ન્યૂન એવા સોમાભાગવડે મીઠાની ખાણમાં રહેલી પ્રતિમાઓ જેમ તદ્ભાવને= મીઠારૂપે પરિણામ પામે છે, તેમ પાર્થસ્થાદિ સાથેના સંસર્ગમાત્રથી સુવિહિતસાધુઓ પાર્થસ્થાદિભાવને પામે છે.) તેથી કુશીલો સાથેના સંસર્ગનો ત્યાગ કરો.
25 - ટીકાર્ય - ન્યૂન એવો સોમો ભાગ તે ન્યૂનશતભાગ. (અહીં પ્રતિમાના એકસો ભાગ કલ્પવા. તે પ્રતિમાનો કંઈક ન્યૂન એવો સોમો ભાગ મીઠાના અગરમાં અંદર ખૂપે એ રીતે પ્રતિમાને મીઠાના ઢગલા ઉપર રાખવી. માટે જ કહ્યું છે કે જે પ્રતિમાનો) સોમો ભાગ પણ મીઠાવડે સંપૂર્ણ પૂરાતો નથી. આમ અતિ અલ્પ અંશવડે પ્રતિયોગી એવા લવણ સાથે “સંબંધ પામેલી' શબ્દ અહીં જાણી લેવો – એવી પ્રતિમાઓ તદ્દભાવને પામે છે એટલે કે ધીરે ધીરે 30 આખી પ્રતિમા ખારી થઈ જાય છે. (ક્યાં રહેલી પ્રતિમા ?) મીઠાના અગરમાં રહેલી. (અન્વય
20