________________
‘તક્ષ્ણ મંતે ! ડિવામિ' પદોનો અર્થ (નિ. ૧૦૪૬)
૩૪૩
साम्प्रतं तस्य भदन्त ! प्रतिक्रमामीत्येतद् व्याख्यायते— तत्र 'तस्ये 'त्यधिकृतो योगः संबध्यते, ननु च प्रतिक्रमामीत्यस्याः क्रियायाः सोऽधिकृतो योगः कर्म, कर्मणि च द्वितीया विभक्तिरतस्तमित्यभिधेये तस्येत्यभिधीयते किमर्थमिति ?, आह-प्रयोजनार्थं षष्ठी विवक्षातः प्रयुक्ता सम्बन्धलक्षणाऽवयवलक्षणा वा, योऽसौ योगस्त्रिकालविषयस्तस्यातीतं सावद्यमंशमवयवं प्रतिक्रमामि न शेषं वर्तमानमनागतं वा, केचित् पुनरविभागज्ञाः अविशिष्टमेव सामान्यं योगं 5 सम्बन्धयन्ति, तन्न युज्यते, अविशिष्टस्य त्रिकालविषयस्य प्रतिक्रमणप्रयोजनाभावात्, ग्रन्थगुरुत्वापत्तेश्च, अविशिष्टमपि संबध्य पुनर्विशेषेऽवस्थापनीयस्तच्छब्द इति ग्रन्थगुरुता, यदेतत् प्रतिक्रमणमेतत् प्रायश्चित्तमध्ये पठितमतः प्रायश्चित्तमासेवितेऽतीतविषयमिति गतत्वादतीतप्रतिक्रमणमिति न वक्तव्यम्, इह पुनरुक्तत्वप्रसङ्गात्, यस्मादस्य प्रतिक्रमामीतिशब्दस्य कर्मणा
હવે ‘તસ્સ અંતે ! પધ્ધિમામિ' વાક્યનું વર્ણન કરાય છે. તેમાં ‘તસ્ય’ શબ્દથી અધિકૃત 10
સાવઘયોગ જાણવો.
શંકા : ‘પ્રતિમામિ’ આ ક્રિયાનું કર્મ સાવઘયોગ છે અને કર્મને બીજી વિભક્તિ લાગે તેથી બીજી વિભક્તિને બદલે ષષ્ઠી વિભક્તિ શા માટે કરી
સમાધાન : અહીં ચોક્કસ પ્રયોજન માટે વિવક્ષાથી સંબંધના અર્થમાં અથવા અવયવના અર્થમાં ષષ્ઠી વિભક્તિ કરેલ છે. તે આ પ્રમાણે કે—જે આ ત્રિકાળવિષયક યોગ છે. તેના સંબંધી 15 અતીત એવા અંશરૂપ અવયવને હું નિંદુ છું, પણ વર્તમાન કે ભવિષ્યકાળના અંશરૂપ અવયવની હું નિંદા કરતો નથી. (કારણ તેની નિંદા ન હોય.) આ પ્રમાણે અર્થ જાણવાનો છે. આ પ્રમાણેના વિભાગને નહિ જાણનારા કેટલાક લોકો ‘તસ્ય' શબ્દ સાથે સામાન્યથી અવિશિષ્ટ એવા જ (અતીતાદિ ભેદ પાડ્યા વિના) યોગને જોડે છે. પરંતુ તે ઘટતું નથી, કારણ કે ત્રિકાળવિષયક એવા યોગની નિંદા કરવાનું કોઈ પ્રયોજન નથી અને ગ્રંથ મોટો થવાની આપત્તિ આવે. તે આ 20 રીતે કે—પ્રથમ સામાન્યથી અવિશિષ્ટ યોગનો સંબંધ કરી ફરીથી તત્ શબ્દ વિશેષમાં સ્થાપવો પડે, તેથી ગ્રંથની ગુરુતા થાય.
(શંકા : તો પછી ‘અતીત અંતે ! પણિમામિ' એટલું જ કહોને ?)
સમાધાન : ‘અતીતનું પ્રતિક્રમણ કરું છું' એવું પણ બોલાય નહિ કારણ કે જે આ પ્રતિક્રમણ છે તે દશ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં કહેવાયેલું છે. તેથી આ પ્રતિક્રમણ પણ એક પ્રકારનું પ્રાયશ્ચિત્ત 25 જ છે અને તે પ્રાયશ્ચિત્ત ભૂતકાળમાં (નજીકના કે દૂરના ભૂતકાળમાં) કોઈ અતિચાર સેવાયો હોય તો જ કરવાનું હોય છે. આમ, આ પ્રતિક્રમણ અતીતવિષયક હોય એ જણાઈ જ જાય છે. માટે ‘અતીતનું હું પ્રતિક્રમણ કરું છું' આવું બોલવામાં એક ‘અતીત’ શબ્દ તો છે જ અને પ્રતિક્રમણ શબ્દ પણ અતીતવિષયક હોવાથી અતીત શબ્દને આશ્રયી પુનરુક્ત દોષ આવે, માટે અતીતનું પ્રતિક્રમણ કરું છું આવું બોલાય નહિ.
વળી, જે કારણથી ‘પ્રતિક્રમામિ' શબ્દનું કર્મ હોવું આવશ્યક છે અને તે કર્મ તરીકે ભૂતકાળ સંબંધી સાવઘયોગ સિવાય કોઈ બની શકે એમ નથી, તે કારણથી ‘તત્ત્વ' શબ્દને અવયવરૂપ
30