SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) चो०-जइ परपढमे साडो णिव्विग्गहदो य तंमि संघातो । णणु सव्वसाडसंघातणाओ समए विरुद्धाओ ॥३॥ आo-जम्हा विगच्छमाणं विगयं उप्पज्जमाणमुप्पण्णं । तो परभवाइसमए मोक्खादाणाणमविरोहो ॥४॥ चुइसमए णेहभवो इहदेहविमोक्खओ जहातीए । जइ परभवोवि ण तहिं तो सो को होउ संसारी ? ॥५॥ चो०-णणु जह विग्गहकाले देहाभावेऽवि परभवग्गहणं । तह देहाभावं5 मिवि होज्जेहभवोऽवि को दोसो ? ॥६॥ आo-जं चिय विग्गहकाले देहाभावेवि तो परभवो सो । નિર્વિગ્રહથી =ઋજુગતિથી ઉત્પન્ન થતાં જીવનો તે જ સમયે સંઘાત માન્યો છે. તેથી જો પરભવના પ્રથમસમયે શાટન માનશો તો સર્વશાટ અને સર્વસંઘાત બંને પરસ્પર વિરોધી હોવાથી એક સાથે એક જ સમયે કેવી રીતે ઘટે? જો નિશ્ચયનય : પરભવના આદ્ય સમયે પૂર્વભવનું શરીર ત્યાગ કરાતું હોય ત્યારે ત્યાગેલું જ ગણાય છે અને પરભવનું શરીર ઉત્પન્ન કરાતું ઉત્પન્ન થઈ 10 ગયેલું જ ગણાય છે, કારણ કે નિષ્ઠાકાળ અને ક્રિયાકાળ બંનેનો અભેદ છે. આ રીતે પરભવના પ્રથમ સમયે ત્યાગ કરાતું શરીર ત્યાગેલું હોવાથી તે શરીર તો ત્યાં છે જ નહીં, માત્ર આ ભવનું શરીર જ રહે છે. માટે તે સમયે શાટન અને સંઘાતને માનવા છતાં કોઈ વિરોધ રહેતો નથી. (ટૂંકમાં એક જ સમયે બે વસ્તુનો વિરોધ તમે કહ્યો. પરંતુ એક જ સમયે ત્યજાતી વસ્તુનો ત્યાગ થઈ ગયેલો જ છે એમ નિશ્ચયનય માનતો હોવાથી એક સમયે બંને વસ્તુ થઈ જ નથી. 15 માટે વિરોધ આવતો નથી.) પા વળી ચુતસમયને પરભવનો પ્રથમ સમય જ માનવો જોઈએ કારણ કે જો એવું ન માનો તો ચુતસમયે=મરણ સમયે ઇહભવ તો છે જ નહિ કારણ કે અહભવનો દેહ અને આયુ બંને મુકાઈ રહ્યા છે અને જે મુકાઈ રહ્યું હોય તે મુકાઈ ગયું કહેવાય. જેમ કે પૂર્વજન્મમાં ઈહભવ નથી, કારણ કે અહભવના દેહનો પૂર્વભવમાં અભાવ છે. તે જ રીતે ઇહભવના મરણ સમયે 20 પણ ઇહભવના દેહનો અભાવ હોવાથી ઇહભવ નથી. છતાં મરણ સમયે પરંભવ માનો નહિ, તો તે સમયે ઈહભવનો તો ઉપરોક્ત યુક્તિથી નિષેધ કર્યો અને પરભવ માનતા નથી તો આ સંસારી જીવ વ્યપદેશ વિનાનો થઈ જશે અર્થાત આ જીવને દેહભવસંબંધી નહિ મનાય કે પરભવસંબંધી પણ મનાશે નહિ. hell વ્યવહારનયઃ જેી વિગ્રહકાળમાં પરભવનું શરીર ન હોવા છતાં, જીવને પરભવનું 25 ગ્રહણ= નારકાદિ પરભવનો વ્યપદેશ થાય છે, તેમ અહીં મૃત્યુ સમયે દેહનો અભાવ હોવા છતાં ઇહભવનો વ્યપદેશ કરવામાં કયો દોષ છે ? અર્થાત કોઈ દોષ નથી. II નિશ્ચયનય - જે કારણથી અપાંતરાલગતિમાં જીવનો વિગ્રહકાળ છે, પણ પૂર્વભવનો કાળ નથી. તે કારણથી જ ७९. चोदकः-यदि परभवप्रथमे शाटो निर्विग्रहतश्च तस्मिन् संघातः । ननु सर्वशाटसंघातने समये विरुद्धे ॥३॥ आचार्यः-यस्माद्विगच्छत् विगतमुत्पद्यमानमुत्पन्नम् । ततः परभवादिसमये मोक्षादानयोर्न 30 विरोधः ॥४॥ च्युतिसमये नेहभव इहदेहविमोक्षतो यथाऽतीते । यदि परभवोऽपि न तत्र तदा स को भवतु संसारी ? ॥५॥ ननु यथा विग्रहकाले देहाभावेऽपि परभवग्रहणम् । तथा देहाभावेऽपि भवेदिह भवोऽपि को दोषः ? १६॥ आ०-यस्मादेव विग्रहकालो देहाभावेऽपि ततः (एव) परभवः सः ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy