________________
૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪)
अलियमुवघातजणयं निरत्थयमवत्थयं छलं दुहिलं । निस्सारमधियमूणं पुणरुत्तं वाहयमजुत्तं ॥८८१॥ कमभिण्णवयणभिण्णं विभत्तिभिन्नं च लिंगभिन्नं च । अणभिहियमपयमेव य सभावहीणं ववहियं च ॥८८२॥ कालजतिच्छविदोसा समयविरुद्धं च वयणमित्तं च । अत्थावत्तीदोसो य होइ असमासदोसो य ॥८८३॥ उवमारूवगदोसाऽनिद्देस पदत्थसंधिदोसो य ।।
एते उ सुत्तदोसा बत्तीसं होंति णायव्वा ॥८८४॥ व्याख्या : तत्र 'अनृतम्' अभूतोद्भावनं भूतनिह्नवश्च, अभूतोद्भावनं-प्रधानं कारण10 मित्यादि, भूतनिहवः-नास्त्यात्मेत्यादि १, 'उपघातजनकं' सत्त्वोपघातजनकं, यथा वेदविहिता हिंसा धर्मायेत्यादि २, वर्णक्रमनिर्देशवत् निरर्थकमारादेसादिवत् डित्थादिवद्वा ३,
ગાથાર્થ : અલીક, ઉપઘાતજનક, નિરર્થક, અપાર્થક, છળ, દૃહિલ, નિસ્સાર, અધિક, હીન, પુનરુક્ત, વ્યાહત, અયુત.
ગાથાર્થ ક્રમભિન્ન, વચનભિન, વિભક્તિ અને લિંગભિન્ન, અનભિહિત, અપદ, સ્વભાવહીન, 15 વ્યવહિત.
ગાથાર્થ ઃ કાળદોષ, યતિદોષ, અલંકારદોષ, સમયવિરુદ્ધ, વચનમાત્ર, અર્થપત્તિદોષ અને અસમાસદોષ.
ગાથાર્થઃ ઉપમાદોષ, રૂપકદોષ, અનિર્દેશદોષ, પદાર્થદોષ અને સંધિદોષ આ પ્રમાણે સૂત્રના બત્રીશ દોષો જાણવા યોગ્ય છે. 20 ટીકાર્થ: (૧) અલીક – એટલે કે ખોટું, અર્થાત્ જે સૂત્રમાં અસભૂત પદાર્થનું કથન કર્યું
હોય કે સદ્ભૂત પદાર્થને છુપાવવામાં આવ્યા હોય (તે સૂત્ર આલીકદોષથી દુષ્ટ કહેવાય છે.) તેમાં અસદ્દભૂતનું કથન આ પ્રમાણે – “પ્રધાન (સાંખ્યોએ માનેલું એક તત્ત્વ) એ જગતનું કારણ છે. (અર્થાત્ જગતની ઉત્પત્તિ પ્રધાનનામના તત્ત્વમાંથી થઈ છે.) ભૂતનું છૂપાવવું, તે આ પ્રમાણે
– આત્મા નથી વગેરે. 25 (૨) ઉપઘાતજનક - જીવોના ઉપઘાત કરનારું હોય, જેમ કે – “વેદમાં કહેવાયેલી હિંસા ધર્મ માટે છે.' વગેરે.
(૩) નિરર્થક – વર્ગોના ક્રમનિર્દેશની જેમ જે અર્થ વિનાનું એટલે કે નિરર્થક હોય જેમ કે, આરુ, આદુ, એસ્ વિગેરે. (અર્થાત્ બા, તું, પર્ વગેરે આદેશો છે. આ આદેશોમાં વર્ણોનો
ક્રમનિર્દેશ જ છે પરંતુ કોઈ અભિધેય = અર્થ આ આદેશોથી જણાતો નથી. તેથી આવા પ્રકારનું સૂત્ર 30 નિરર્થક કહેવાય છે.) અથવા ડિત્યાદિ વચનોની જેમ નિરર્થક જાણવું.
| (H) આ પદાર્થ પરિશિષ્ટ-૧માં આપેલ ટિપ્પણમાં છે. * અત: પરં મુદ્રિત તિવર્તી ‘મામાત્ મ્' इत्यादि पाठो हस्तादर्शेषु नास्तीत्यस्माभिरपि नादृतः ।