________________
: ૪૯ : ન કલ્પે. કેમકે પહેલા અને છેલ્લા શ્રી તીર્થકર ભગવંતના સાધુઓ માટે તે, “એક સાધુને ઉદ્દેશીને કરેલ આહાર બીજા સાધુઓને પણ કપે નહિ.” આવી શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા છે.
જે તીર્થકર, પ્રત્યેક બુદ્ધને સંકલ્પ કર્યો હોય તે સાધુને કલ્પી શકે. કેમકે તીર્થકર, પ્રત્યેક બુદ્ધ એ સાધુના સાધર્મિક નથી.
ર સ્થાપના સાધમિક—કેના સંબંધીએ દીક્ષા લીધી હોય અને તેમના રાગથી તે સંબંધી સાધુની મૂર્તિ કે ચિત્ર બનાવીને તેની આગળ મૂકવા ભોજન તૈયાર કરાવે અને પછી સંકલ્પ કરે કે “આવા વેષવાળાને મારે આ ભેજન આપવું.” તે સાધુને કલ્પ નહિ. પરંતુ મૂર્તિ કે ચિત્ર આગળ મૂકવા માટે ભેજન બનાવ્યું હોય, પણ સાધુને આપવા માટે સંકલ્પ કર્યો ન હોય તે, તે આહાર સાધુને કલ્પી તે શકે. પરંતુ પ્રવૃત્તિદોષ થવાને સંભવ હોવાથી આચાર્ય ભગવતેએ આ આહાર લેવાને નિષેધ કર્યો છે.
૩ દ્રવ્ય સાધમિક–સાધુ કાળધર્મ પામ્યા હોય અને તેમના નિમિત્તે આહાર બનાવીને સાધુને આપવાને સંકલ્પ કર્યો હેય તે સાધુને તે આહાર લેવે કપે નહિ. વળી સંકલ્પ ન પણ કર્યો હોય તે પણ એ આહાર ન કલ્પે. કેમકે જે તે આહાર સાધુ ગ્રહણ કરે તે લોકમાં નિંદા થાય કે “આ સાધુઓ કેવા છે કે મરેલાનું ભેજન પણ છોડતા નથી.” - ૪ ક્ષેત્ર સાધર્મિક–સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, બંગાળ, આદિ પ્રદેશને ક્ષેત્ર કહેવાય. તેમજ ગામ, નગર, પિળ, મહેલે આદિ પણ ક્ષેત્ર કહેવાય.