________________
: ૪૧ : કેદ્રા વિશેષ મળતા હતા. સાધુઓને રહેવા માટે સ્થાન અને સ્વાધ્યાયભૂમિ સુંદર અને શુદ્ધ હતી. પરંતુ આચાર્ય ભગવંતને રોગ્ય શાલિકૂર (ચેખા) ગોચરીમાં મળતાં નહિ હેવાથી કેઈ આચાર્ય ત્યાં સ્થિરતા કરતા નહિ.
એક વખત ક્ષેત્રની તપાસ કરવા માટે સાધુ તે ગામમાં આવ્યા, ત્યાં જિનદત્તે તેમને ઉતરવા માટે સુંદર વસતિ આપી. સાધુઓએ બધી તપાસ કરી લીધી, એટલે જિનદત્તે સાધુને પૂછયું કે “ભગવદ્ ! આપને ક્ષેત્ર પસંદ પડયું ? આચાર્ય ભગવંત અહીં પધારશે ? સાધુએ જે જવાબ આપે તેના ઉપરથી જિનદત્તને લાગ્યું કે “આચાર્ય ભગવંત અહીં નહિ પધારે.”
જિનદત્ત શ્રાવક વિચારવા લાગ્યા કે “આ ગામમાં આચાર્ય ભગવંત નહિ પધારવાનું શું કારણ હશે? કઈ રીતે કારણ જાણવું જોઈએ.” કારણ જાણવા માટે એક સરળ સાધુને પૂછ્યું તે જાણવા મળ્યું કે “આ ક્ષેત્રમાં બધી અનુકુળતા છે, પરંતુ આચાર્ય ભગવંતને એગ્ય શાલિકુર મળતા નહિ હેવાથી તેઓ પધારતા નથી.” - કારણ જાણવામાં આવતા જિનદત્તે બીજા ગામથી શાલિકરનાં બી મંગાવ્યાં. ખેતરમાં તે બી વવરાવ્યાં એટલે ઘણું શાલિકૂર તૈયાર થયા એટલે મંગાવીને પિતાના ઘરમાં રાખ્યા.
એક વખત સાધુઓ ક્ષેત્રની તપાસ કરવા તે ગામમાં આવ્યા. જિનદત્તે વિચાર્યું કે “આ સાધુઓને હું શાલિકૂર આપીશ, જેથી તેઓ આચાર્યને પ્રાગ્ય વસ્તુ મળતી જાણી આચાર્યને અહીં લાવશે. પરંતુ હું એકલે શાલિકૂર આપું અને