________________
સ્થાન આવે. આ જ ક્રમે ચારેથી અંતરિત થયેલ અસં. ખ્યગુણ અધિકના સંયમ સ્થાને કંડક પ્રમાણે કરવાં. તે પછી અનંતગુણ અધિકનું પહેલું સંયમ સ્થાન આવે,
ત્યાર બાદ પાંચ વૃદ્ધિના સંયમ સ્થાને આવે, એટલે પ્રથમની જેમ અનંતભાગ અધિક કંડક પ્રમાણ સંયમ સ્થાને આવે. તે પછી એક અસંખ્યાતભાગ અધિકનું સંયમ સ્થાન આવે, તે જ રીતે અનંતભાગ અંતરિત અસંખ્યાતભાગ અધિકનું કડક પ્રમાણ થાય, તે પછી એના આંતરાવાળું સંખ્યાતભાગ અધિકનું કહેંક પ્રમાણ થાય, તે પછી ત્રણના આંતરાવાળું સંખ્યાતગુણ અધિકનું કંડક પ્રમાણ થાય, તે પછી ચારેના આંતરાવાળું અસંખ્યાત ગુણ અધિકનું કંડક પ્રમાણ થાય. તે પછી અનંતગુણ અધિકનું બીજુ સંયમ સ્થાન આવે.
આ ક્રમ પ્રમાણે અનંતગુણ અધિકના સ્થાને પણ કંડક પ્રમાણ કરવાં. તે પછી ઉપર પ્રમાણે અનંતભાગ અધિકનું સંયમ સ્થાન તેની વચ્ચે વચ્ચે અસંખ્યભાગ અધિકનું, તે પછી બનને વચ્ચે વચ્ચે સંખ્યામભાગ અધિકનું, તે પછી ત્રણના આંતરાવાળુ સંખ્યાતગુણ અધિકનું અને તે પછી ચારના આંતરાવાળું અસંખ્યાતગુણ અધિકનું કંડક કરવું. એટલે ષ સ્થાનક પરિપૂર્ણ થાય. આવા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ષટ સ્થાનકો સંયમ શ્રેણીમાં બને છે.
આ પ્રમાણે સંયમશ્રેણીનું સ્વરૂપ શાસ્ત્રમાં જણાવેલું છે.
આધાકર્મી આહાર ગ્રહણ કરનાર વિશુદ્ધ સંયમ સ્થાનથી નીચે નીચે પડતે હીન હીન ભાવમાં આવતે વાવત રત્નપ્રભાદિ