________________
: ૩ર : संजमठाणाणं कंडगाणं लेसाठिईविसेसाणं । भावं अहे करेई तम्हा तं भावहे कम्मं ॥ १२ ॥ .
| ( પિં. નિ. ૯૯) સંયમસ્થાને-કંડકે-સંયમણું, વેશ્યા તથા શાતાવેદનીયાદિરૂપ શુભ પ્રકૃતિમાં વિશુદ્ધ વિશુદ્ધ સ્થાનમાં રહેલા સાધુને આધાકમી આહાર જે કારણથી નીચા નીચા સ્થાને લઈ જાય છે, તે કારણથી તે અધાકર્મ કહેવાય છે.
સંયમ સ્થાનનું સ્વરૂપ દેશવિરતિરૂપ પાંચમાં ગુણસ્થાને રહેલા સર્વઉત્કૃષ્ટ વિશુદ્ધ સ્થાનવાળા જીવ કરતાં સર્વવિરતિરૂપ છઠ્ઠા ગુણસ્થાને રહેલા સૌથી જઘન્ય વિશુદ્ધિ સ્થાનવાળા જીવની વિશુદ્ધિ અનંતગુણ અધિક છે. અર્થાત્ નીચામાં નીચા વિશુદ્ધિ સ્થાને રહેલે સાધુ, ઉંચામાં ઉંચા વિશુદ્ધિ સ્થાને રહેલા શ્રાવક કરતાં અનંતગુણ અધિક છે.
જઘન્ય એવા તે સર્વવિરતિનાં વિશુદ્ધિ સ્થાનને કેવળજ્ઞાનીની દષ્ટિએ-બુદ્ધિથી વિભાગ કરવામાં આવે અને જેને બીજો ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય ભાગ કરવામાં આવે તેવા ભાગની સર્વ સંખ્યાને વિચાર કરવામાં આવે તો, દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનના જે એવા અવિભાજ્ય ભાગ હેય તેની સર્વ સંખ્યાને સર્વ જીવોની જે અનંત સંખ્યા છે, તેના અનંતમાં ભાગે જે સંખ્યા આવે તે સંખ્યાથી ગુણીએ અને જેટલી સંખ્યા થાય તેટલા ભાગ સર્વવિરતિના સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનમાં હોય છે.