SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ::૨૯ : સંકલ્પ મનમાં રાખીને તેમને માટે છ કાય જીવની વિરાધના જેમાં થાય તેવી આહાર આદિ તૈયાર કરવાની જે કિયા. ૨ અધ:કર્મ –એટલે આધાકર્મ દેશવાળે આહાર ગ્રહણ કરનાર સાધુને સંયમથી નીચે લઈ જાય, શુભ લેશ્યાથી નીચે પાડે, અથવા નરકગતિમાં લઈ જાય માટે અધકર્મ, ૩ આત્મદન–એટલે સાધુના ચારિત્રરૂપી આત્માને નાશ કરનાર. ૪ આત્મક”—એટલે અશુભકમને બંધ થાય. આધાકર્મ આહાર ગ્રહણ કરવાથી જે કે સાધુ પિતે છકાય જીવને વધ નથી કરતા, પરંતુ તે આહાર ગ્રહણ કરવાથી અનુમોદના દ્વારા છકાય જીવના વધના પાપને ભાગીદાર બને છે, કેમકે સાધુ આધાકમી આહાર લે એટલે દાતાર ગૃહસ્થ તે આહાર વારંવાર બનાવે, તેથી છકાય જીવની વિરાધનાને કર્તા પરમાર્થ રીતિએ સાધુ પોતે બને છે. તેથી તે પાપ લાગવાથી સાધુ સંયમથી ભ્રષ્ટ થાય છે અને નરક આદિ દુર્ગ તિમાં જાય છે. આથી આધાકર્મનું બીજું નામ “અધ:કર્મ પણ કહેવાય છે. વળી સાધુને આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ છે એટલે સાધુના નિમિત્તે જીવની વિરાધનાના ગે સાધુને સંયમરૂપી આત્મા હણાય છે, તેથી આધાકર્મનું ત્રીજું નામ “આત્મળ પણ કહેવાય છે. આધાકર્મ આહાર જાણીને ગ્રહણ કરવાથી જ્ઞાનાવરણાદિ
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy