________________
निव्वाणं खलु कजं नाणाइतिगं च कारणं तस्स । निव्वाणकारणाणं च कारणं. होइ आहारो ॥९॥
( પિં. નિ. ૬૯ ) મુમુક્ષુઓને જીવનમાં પ્રાપ્ત કરવા ગ્ય માત્ર મેક્ષ જ છે, તે મોક્ષનું કારણ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે અને તે મોક્ષના કારણરૂપ દર્શન જ્ઞાન અને ચારિત્રનું કારણ શુદ્ધ આહાર છે.
આહાર વગર ચારિત્રશરીર ટકી શકે નહિ. ઉગમાદિ દેજવાળે આહાર ચારિત્રને નાશ કરનાર છે. શુદ્ધ આહાર મેક્ષના કારણરૂપ બને છે.
જેમ તંતુ (સુતર) વસ્ત્રનું કારણ છે અને તંતુનું કારણ રૂ છે, એટલે રૂમાંથી સુતર બને છે અને સુતરથી વસ્ત્ર વણાય છે, તેમ શુદ્ધ આહારથી દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિ થાય અને દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિથી જીવને મેક્ષ થાય.
આ માટે સાધુએ ઉદગમ ઉત્પાદનાદિ દેવથી રહિત આહાર ગ્રહણ કરવું જોઈએ, તેમાં ઉદ્દગમના સેળ દે છે. તે આ પ્રમાણે
आहाकम्मुद्देसिय पूईकम्मे य मौसजाए य। उवणा पाहुडियाए पाओअर कीय पामिच्चे ॥ १० ॥
(પિં. વિ. .)