SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫ : દશ પ્રકારે તે—ક્ષમા આદિ દશ યતિધર્મનું પાલન ના કરવું તે. અધર્માચરણ કરવું. અપ્રશસ્ત અને પ્રશસ્ત ભાવપિંડનું લક્ષણ— बज्झइ य जेण कम्म सो सम्यो होइ अप्पसत्यो उ । मुच्चइ य जेण सो उण पसत्थो नवरि विन्नेओ ॥८॥ ( પિં. નિ. ૬૪) જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મો (દીર્ઘસ્થિતિવાળાં, સંસારને વધારનારાં અને કટુવિપાકવાળાં) બંધાય તે અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય અને જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મો ક્ષય થાય આત્મા કર્મોથી મૂકાય મુક્ત થતું જાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણ. અહીં એકાદિ પ્રકારેને પિંડ શી રીતે કહેવાય? આ શંકાના સમાધાનમાં સમજવું કે તે તે પ્રકારને આશ્રી તેના અવિભાગ્ય અંશસમુહને પિંડ કહેવામાં આવે છે. અથવા આ બધાથી પરિણામભાવે જીવને શુભાશુભ કર્મપિંડ બંધાતે હેવાથી તે ભાવપિંડ કહેવાય છે. અહીં આપણે પ્રશસ્ત ભાવપિંડ અને શુદ્ધ અચિત્ત દ્રવ્યપિંડથી કાર્ય છે, કારણ કે મેક્ષના અથજીને આઠ પ્રકારની કર્મરૂપ બેડીઓ તેડવા માટે પ્રશસ્ત ભાવપિંડ જરૂરી છે. તેમાં અચિત્ત દ્રવ્યપિંડ એને સહાયક બને છે, તેથી એ વિશેષ જરૂરી છે. એ માટે કહે છે.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy