________________
: ૧૧ : કે કૃત્રિમ ભેળસેળ વગેરે લાગે તે તેડીને તપાસ. ન તપાસે તે કદાચ તેમાં ઝેર ભેળવેલું હેય, કંઈ કામણ કરેલું હોય, કે સુવર્ણ આદિ નાખેલું હેય અથવા તે કાંટા આદિ હેય તે સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. સુવર્ણ આદિ હેય તે પાછું આપે. - ૯ ગુરુક-મોટા પત્થર વગેરેથી ઢાંકેલું હોય, તે ખસેડવા જતાં ગૃહસ્થને કદાચ ઈજા થાય. આપવાનું ભાજન ઘણું મોટું હિય કે ભારે વજનદાર હોય, તે ઉપાડીને આપવા જતો કદાચ હાથમાંથી પડી જાય, તે ગૃહસ્થ દાઝી જાય અથવા પગ આદિને ઈજા થાય, તથા તેમાં રહેલી વસ્તુ ઢળાય છે તેથી છકાય જીવની વિરાધના થાય, માટે તેવા મેટા કે ભારે ભાજનથી ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
૧૦ ત્રિવિધ–કાલ ત્રણ પ્રકારે. ૧ ગ્રીષ્મ, ૨ હેમંત, અને ૩ વર્ષાકાલ. તથા આપનાર ત્રણ પ્રકારે. ૧ સ્ત્રી, ૨ પુરુષ અને ૩ નપુસક. તે દરેકમાં તરૂણ, મધ્યમ અને સ્થવિર. નપુસક શીત હોય છે, સ્ત્રી ઉમાવાળી હોય છે અને પુરુષ શીતષ્ણ હોય છે. તેઓમાં પુરાકમ, ઉદકા, સસ્નિગ્ધ ત્રણ હોય છે. તે દરેક સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે છે.
પુરકર્મ અને ઉદકાદ્રમાં ભિક્ષા ગ્રહણ ન કરવી.
સસ્નિગ્ધમાં એટલે મિશ્ર અને સચિત્ત પાણીવાળા હાથ હોય, તે હાથનાં આંગળાં, રેખા અને હથેલીને આશ્રી સાત ભાગ કરવા. તેમાં કાળ અને વ્યક્તિ ભેદે નીચે મુજબ ભાગ જે સુકાયેલા હોય તે ભિક્ષા ગ્રહણ કરાય.