SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦ : જાય, તે તેની ઉપર નીચેની જમીન તથા આજુબાજુ પણ જેવું. જો તે જતાં પૃથ્વી, પાણી, અગ્નિ આદિને સંઘટ્ટો કરતાં હોય તે ભિક્ષા ગ્રહણ કરવી નહિં. કેમકે તેવી ભિક્ષા ગ્રહણ કરતાં સંયમ વિરાધના થાય, અથવા આપનારને અંદરના ભાગમાં જતાં કદાચ સર્ષ આદિ કરડે, તે ગૃહસ્થ આદિ મિથ્યાત્વ પામે. ૪ ગ્રહણુ–નાનું-નીચું દ્વાર હય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કબાટ વાસેલું હોય, બારણું બંધ હોય, ઘણા માણસે આવજાવ કરતા હય, ગાડાં વગેરે આડાં પડેલાં હેય, ત્યાં ભિક્ષા ગ્રહણ કરવી નહિ. જે બરાબર ઉપગ રહી શકે એમ હોય તે ભિક્ષા ગ્રહણ કરવી. ૫ આગમન–ભિક્ષા લઈને આવતાં ગૃહસ્થ પૃથ્વી આદિની વિરાધના કરતે આવતે હેય તે ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ૬ પ્રાપ્ત–આપનારને હાથ કાચા પાણીવાળો છે કે કેમ? તે જોવું. આહાર આદિ સંસક્ત છે કે કેમ? તે જેવું. ભાજન ભીનું છે કે કેમ? તે જેવું. કાચું પાણુ, સસંક્ત કે ભીનું હોય તે ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ૭ પરાવર્ત–આહાર આદિ બીજા વાસણમાં નાંખે તે તે વાસણને કાચું પાણ આદિ લાગેલું છે કે નહિ, તે તપાસવું. જે કાચું પાછું આદિ લાગેલું હોય તે તે વાસણમાંને આહાર ગ્રહણ કરે નહિ. ૮ પતિત–આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસ. યેગવાળો પિંડ છે કે સ્વાભાવિક છે, તે જોવું. જે વેગવાળે
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy