________________
૧ સ્થાન–ત્રણ પ્રકારનાં આત્મ ઉપઘાતિક, પ્રવચન ઉપઘાતિક, સંયમ ઉપઘાતિક.
'આત્મ ઉપઘાતિક સ્થાન–ગાય, ભેંસ આદિ જ્યાં હોય, ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવામાં તે ગાય, ભેંસ આદિ શીંગડું કે લાત મારે, તેથી પડી જવાય, વાગે અથવા પાત્ર ભાગી જાય તેથી છકાય જીવની વિરાધના થાય. માટે આવા સ્થાને તથા જ્યાં જીર્ણ ભત, કાંટા, દર આદિ હોય ત્યાં પણ ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
પ્રવચન ઉપઘાતિક સ્થાન–કલા માત્રામાં સ્થાન, ગૃહસ્થને સ્નાન કરાવાના સ્થાન, ખાળ આદિ અશચીવાળા સ્થાન આવા સ્થાને ઉભા રહી ભિક્ષાગ્રહણ કરતાં, પ્રવચનની હીલના થાય, માટે આવા સ્થાને ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
સંયમ ઉપઘાતિક સ્થાન-પૃથ્વી, પાણી, અગ્નિ, બીજ આદિ જ્યાં હોય ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરતાં તે જીની વિરાધના થાય, માટે તેવા સ્થાને ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
ર દાયક–આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, વૃદ્ધ, નેકર, નપુંસક, ગાંડે, કેધાયમાન આદિ (આનું વર્ણન આગળ દાયક દેષ વખતે કરવામાં આવશે) પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. અપવાદે કેઈ જાતને દેષ થાય એમ ન હોય તે ઉપગ પૂર્વક ભિક્ષા ગ્રહણ કરે.
૩ ગમન–ભિક્ષા આપનાર, ભિક્ષા લેવા માટે અંદર