________________
દોષિત આહાર વાપરવાથી સંસારમાં રખડવાનું થાય છે. તેથી શ્રી તીર્થકર ભગવતેએ દેષવાળે આહાર વાપરવાને નિષેધ કર્યો છે.
માટે તે ને સારી રીતે જાણી સમજીને દૂર કરવા જોઈએ.
આ દેનુ સારી રીતે જ્ઞાન થાય તે માટે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહસ્વામિજીએ શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપર જે નિર્યુક્તિ કરેલી છે, તેમાં તે સૂત્રના પાંચમાં પિડેષણ નામનાં અધ્યયનની આ નિર્યુક્તિ વધારે શ્લોક પ્રમાણ હેઈ તેને જુદા શાસ્ત્ર તરીકે સ્થાપન કરી તેનું “વિનિરિ” નામ રાખવામાં આવેલું છે.
મૂલ દશવૈકાલિક સૂત્ર-નિર્યુક્તિનું મંગલ થઈ ગયેલું હોવાથી શાસ્ત્રકારે અહીં જુદુ મંગલ કર્યું નથી. તેમાં પહેલી વિષયાધિકારની સંગ્રહ ગાથા આ પ્રમાણે છે.
पिंडे उग्गमउप्पायणेसणा संजोयणा पमाणं च । इंगाल धूम कारण अट्टविहा पिंड निज्जुत्ती ॥१॥
| ( પિં. નિ. ૧) પિંડ એટલે સમુહ. તેને ચાર પ્રકાર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અહીં સંયમ આદિ ભાવપડને ઉપકારક દ્રવ્યપિંડ છે. દ્રવ્યપિંડ દ્વારા ભાવપિંડને સાધી શકાય છે.
દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. ૧ આહાર, ૨ શય્યા, ૩ ઉપાધિ. આ ગ્રંથમાં મુખ્ય આહારપિંડને વિચાર કરવાનું છે. શય્યાપિંડ અને ઉપધિપિંડને વિચાર ઓઘનિયુક્તિ આદિ ગ્રંથમાં કરવામાં આવેલ છે. જિજ્ઞાસુએ તે તે ગ્રંથે જોઈ લેવા.