SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦ ; અમદાવ૮ વાડી ધર્મમાં વિરાજાનું થતું તે સમયે, આપણા પૂ. આચાર્ય મહારાજ સંસારમણામાં (ભાઈ ખુશાલચંદ) અમદાવાદમાં રહી મેટ્રીક ભણતા હતા, તેઓ વખતે વખત પિતાનાં આ ભગિની સાધ્વીજી પાસે દર્શનાર્થે જતા હતા, તેમને તેઓ સંયમધર્મનાં સુંદર બોધવચનનું અમૃતપાન કરાવતાં હતાં. શેઠ લાલભાઈ દલપતભાઈનાં માતુશ્રી સુપ્રસિદ્ધ શેઠાણી ગંગામાજી પણ તે સમયે વિદ્યમાન હતાં. આપણાં સાધ્વીજીમાં ઉત્કટ વૈરાગ્યત્યાગ-તપ-સ્વાધ્યાય આદિ અનેક ગુણો સાથે આવી વિનય ભક્તિ અને સેવાવૃત્તિ જોઈને ખુદ ગંગામાજી પણ તેમના પ્રત્યે ઘણે ભાવ રાખતાં હતાં. તેમનાં સુપુત્રી સગત વિદુષી સરસ્વતીબેન અને બીજા એક વિદૂષી સીતાબેન આદિ મુખ્ય મુખ્ય શ્રાવિકા બેનેને પણ તેમના પ્રત્યે વિશેષ પૂજ્યભાવ હતે, તેઓ પૂ. સાધ્વીજી સાથે ૬ ઠ્ઠા કર્મગ્રંથના પદાર્થો આદિને પરામર્શ કરતાં હતાં. સં. ૧૯૮૦ની સાલની વાત છે. તપાગચ્છાધિરાજ પરમ શાસનમાન્ય સકલારામરહસ્યવેદી-પ્રૌઢગીતાર્થ આચાર્ય ભગવંત સ્વ. પૂ. શ્રીમવિજયદાનસૂરીશ્વરજી મહારાજા (તે વખતે પંન્યાસપદે, બાદ સં. ૧૯૮૧ માં આચાર્યપદે) માલવામાંથી વિહાર કરતા અમદાવાદ વિદ્યાશાળામાં પધાર્યા હતા. નવ દીક્ષિત પૂ. મુનિશ્રી જ બૂવિજયજી (વર્તમાનમાં પૂ. આચાર્યદેવ ) પણ સાથે હતા. આપણુ સાધ્વીજી કલ્યાણશ્રીજીને ગુરૂણી દાદીગુરૂણી આદિને વિરહ થતાં “સુવિહિત આજ્ઞાના શરણ વિના શુદ્ધ સંયમની પાલના પણ સ્વચ્છેદાચારની કેટિમાં
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy