________________
: ૨૮૨ :
હંમેશા પિતાના શરીરને નિર્વાહ કરે, કદાચ જ્યારે શરીર સારું ન હોય તે સંયમયેગની વૃદ્ધિ માટે અને શરીરની શક્તિ ટકાવવા માટે વિગઈ વાપરે.
વિગઈ વાપરવામાં છાસ આદિ જ ઉપયોગી છે, તેથી તેનું ગ્રહણ કરવું તે સિવાયની વિગઈ તે ગલાનાદિ કારણે ગ્રહણ કરવી જોઈએ. કેમકે વિગઈ બહુ લેપવાળું દ્રવ્ય છે અને તે વાપરવાથી ગૃદ્ધિ થાય.
લેપ વિનાના દ્રવ્યો–સુક્કા રાંધેલા ભાત આદિ, રોટલી, રોટલા, ખાખરા, ભાખરી, જવને સાથે અડદ, ચેળા, વાલ, વટાણું, ચણ્યા વગેરે સર્વે સુકા હોય છે. જે વાસણમાં ચૂંટે નહિ તે બધાં દ્રવ્ય. આમાં વાસણ નહિ ખરડાવાથી પાછળથી ધોવું પડે નહિ.
અલપલેપવાળાં દ્રવ્ય-શાક-ભાજી, રાબડી, કેદ્રવ, છાસ સાથેના ભાત, રાંધેલા મગ, દાળ, ઓસામણ વગેરે દ્રવ્ય. આમાં પશ્ચાત્યમ કદાચ થાય અને કદાચ ન થાય.
બહુલેપવાળાં દ્રવ્ય–ખીર, દૂધ, દહીં, દૂધપાક, તેલ, ઘી, ગેળનું પાણી, રસાવાળી ખજુર વગેરે. જે દ્રવ્યોથી વાસણ ખરડાયેલું હોઈ આપ્યા પછી તે વાસણ અવશ્ય છેવું પડે તેવાં દ્રવ્ય.
પાપના ભયવાળા સાધુઓ બહુ લેપવાળાં દ્રવ્ય ગ્રહણ કરતા નથી.
અપવાદ–પશ્ચાત્કર્મ થાય એમ ન હોય તે દ્રવ્ય લેવું કપે.