________________
: ૨૫ : હતા, અને તેમની અધ્યક્ષતામાં આ સભાએ સારી એવી પ્રગતિ સાધી હતી.
આ સિવાય તેઓશ્રીએ મહામંગલકારી પાપનિવારક ને શાન્તિદાયક શ્રી નવકારમંત્રને વિધિપૂર્વક નવ લાખને જાપ પૂર્ણ કર્યું હતું, અને તેની પૂર્ણાહૂતિના સંદર્ભમાં ભારે દબદબાપૂર્વક અને અદકેરા ઉત્સાહથી શ્રી સિદ્ધચક્રનું પૂજન કરાવ્યું હતું. આ ઉપરથી તેમની ઉદાર ધર્મશ્રદ્ધા અને શાસનભક્તિ પણ પ્રતીત થાય છે. તેઓએ સાધમિકેના ઉદ્ધાર વગેરેમાં પણ ગુપ્ત દાન કરવામાં કચાસ રાખી ન હતી. તેમના પુત્રો પણ એ માર્ગે ચાલી રહ્યા છે. સં. ૧૯૫ માં શ્રી સિદ્ધગિરિજીની પુનિત છાયામાં ચાતુર્માસ પણ તેમણે કર્યું હતું.
શેઠશ્રી આજે તે ચાલ્યા ગયા છે, પરંતુ કેટલાક માનવીએ સુગંધીદાર કુલે જેવા હોય છે, કુલ ખરી જાય છે પણ પાછળ પમરાટ છોડી જાય છે, તેમની પાંખડી પાંખડી ખત્મ થઈ જાય છે, પરંતુ એ દરેક પાંખડી તેની મધુર સુવાસ-ફેરમ મૂકી જાય છે.
શેઠશ્રી પણ એક એવું જ પુણ્યપુષ્પ હતા. ભલે તેઓ હૈયાત નથી કિન્તુ તેમની સુવાસ તે આજે પણ મહેક મહેક થાય છે, અને એ સુવાસ કાયમ રહે તે માટે તેમના સુપુત્ર શ્રી સારાભાઈ તથા શ્રી મનુભાઈ તેમના પૂજ્ય પિતાશ્રી શેઠશ્રી, જેસીંગભાઈ કાળીદાસ ટ્રસ્ટમાંથી પુણ્યકાર્યોમાં પોતાના પિતાશ્રી જેવા જ ઉત્સાહ અને ઉમંગથી ઉછળતા હૈયે સાથ ને સહકાર આપે છે.