SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૪ : ચંદ્રગુપ્તના ભાગમાં ઘેાડા આહાર આવતા શરમથી વધારે માગી શકતા નથી. એટલે દિવસે દિવસે ચંદ્રગુપ્ત સુકાવા લાગ્યા. એક દિવસે ચાણાએ પૂછ્યું કે ‘ રાજન્ ! તમે દિવસે દિવસે દુબળા કેમ થતા જાવ છે ? શું શરીરમાં કેાઈ રાગ થયા છે?’ પુરતા નહિ થવાથી ભૂખ્યા ચંદ્રગુપ્તે કહ્યું કે ‘આહાર રહું છું. ' ચાણાક્યે વિચાર કર્યાં. કે ‘ રાજ રસોઇએ આટલા બધા આહાર પીરસે છે, છતાં રાજા આમ કેમ કહે છે ? નક્કી કાઈ અજનસિદ્ધ આવીને રાજાની સાથે લેજિન કરી જતા હેાવા જોઇએ. તેને પકડવા માટે ખીજે દિવસે ભાજનખંડમાં અતિસૂક્ષ્મ અને કામળ ઈંટના ભૂકા પથરાવી દીધા, જેથી કોઈ અદૃશ્ય રીતે આવે તે ખર પડે. રાજા ભેાજન કરવા આવ્યા કે તુરત ભૂકા ઉપર મત્રીએ પગલાં દેખ્યાં તેથી સમજી ગયા કે ‘નક્કી કાઈ એ અજનસિદ્ધ પુરુષા દાખલ થઈ ગયા છે.' મંત્રીએ તુરત બધા દરવાજા બંધ કરાવી દેવરાવ્યા અને મધ્ય ખંડમાં ખૂબ ધૂમાડા કરાવ્યા. ધૂમાડો આંખમાં જતાં આંખમાંથી પાણી નીકળવા લાગ્યું અને પાણી સાથે અજન પણ નીકળી ગયું એટલે તે અને સાધુ પ્રત્યક્ષ થઇ ગયા. સાધુને જોતાં ચંદ્રગુપ્ત એકદમ જુગુપ્સા કરવા લાગ્યા કે અહા! આ સાધુડાએ મને વટલાવ્યા.’
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy