________________
: રર૩ : આચાર્ય શ્રી વિજયસુસ્થિતસૂરીશ્વરજી મહારાજનું જઘાબળ ક્ષીણ થઈ જવાથી તે નગરમાં રહેલા હતા.
એક વખતે ત્યાં દુકાળ પડે, એટલે આચાર્ય ભગવંતે પિતાના સમૃદ્ધ નામના મુનિને આચાર્ય પદવી આપીને શિષ્યો સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યું અને પોતે એકલા રહ્યા.
કેટલાક દિવસ પછી આચાર્ય ઉપરના સ્નેહને લીધે બે શિષ્ય પાછા આવ્યા અને આચાર્ય મહારાજની સેવા કરવા લાગ્યા. દુકાળ હેવાથી પુરતી ભિક્ષા મળતી નથી. હવે એકને બદલે ત્રણ થયા તે પણ આચાર્ય તે બને શિષ્યો સાથે જે મળ્યું હોય તે એમને આપીને પછી પિતે વાપરે. પુરતા આહારના અભાવે આચાર્ય મહારાજ દિવસે દિવસે દુર્બળ થવા લાગ્યા.
બને શિગે વિચારવા લાગ્યા કે “આચાર્ય મહારાજ દિવસે દિવસે સુકાતા જાય છે, નિપ્રાભૂતની વાચનામાંથી ગુપ્ત રીતે અદશ્ય થવાનું ચૂર્ણ આપણે સાંભળી લીધું હતું, તે હવે તેને ઉપયોગ કરવાને અવસર આવ્યો છે, આપણે અદશ્ય બનીને ચંદ્રગુપ્તના ભેજનાલયમાં જઈએ અને અદશ્ય રીતે ચંદ્રગુપ્તના ભેગા જમી લઈએ તે આચાર્ય મહારાજ શુદ્ધ ગોચરી પૂરતી વાપરી શકશે અને દુર્બળ નહિ થાય.”
આ પ્રમાણે વિચાર કરીને બીજા દિવસથી ચંદ્રગુપ્તના ભેગા અદશ્ય રીતે જમવા લાગ્યા.