________________
: ૨૨૩ :
ચૂણુપિંડ ઉપર ચાણાયે જાણી લીધેલા બે અદૃશ્ય સાધુનું દૃષ્ટાંત, પાલેપનરૂપ ચેાગપિંડ ઉપર શ્રી સમિતિસૂરિનું દૃષ્ટાંત, મૂલક પિંડ ઉપર અક્ષતાનિ તથા ક્ષતયેાનિ કરવા ઉપર એ સ્ત્રીનું દૃષ્ટાંત, વિવાહ વિષયક મૂલક પિંડ ઉપર પણ એ સ્ત્રીનું દૃષ્ટાંત અને ગર્ભાધાન તથા ગલપાડનરૂપ મૂલક પિંડ ઉપર રાજાની એ રાણીઓનું દૃષ્ટાંત.
ઉપર કહ્યા મુજબ વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યાગના ઉત્સર્ગ અપવાદને જણાવનારા આગમને અનુસરનાર સાધુ જો ગણુ, સંઘ કે શાસન આદિના કાર્ય અંગે ઉપયાગ કરે તે આ વિદ્યા-મંત્રાદિ દુષ્ટ નથી. તેવા કાર્ય અંગે ઉપયાગ કરી શકે. તેમાં શાસન પ્રભાવના રહેલી છે. માત્ર ભિક્ષા મેળવવા માટે ઉપયાગ કરે તા તેવા પિંડ સાધુને માટે અકલ્પ્ય છે.
૧૬ મૂલકાં પડ—મગલને કરનારી લેાકમાં પ્રસિદ્ધ ઔષધિ વગેરેથી સ્ત્રીઓને સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું, ધૂપ વગેરે કરવા, તથા ગર્ભાધાન, ગર્ભસ્થ ભન, ગર્ભપાત કરાવવા, રક્ષાબંધન કરવું, વિવાહ લગ્નાદિ કરાવવાં કે તેડાવવાં વગેરે, ક્ષતયેાનિ કરાવવી એટલે એવા પ્રકારનું ઔષધ કુમારીકા આદિને આપે કે જેથી યાનિમાંથી રૂધિર વહ્યા કરે. અક્ષતયેાનિ એટલે ઔષધ આદેિના પ્રયાગથી વહેતું રૂધિર માઁધ થાય. આ બધું આહારાદિ માટે કરે તેા મૂલકપિડ કહેવાય.
ચૂર્ણપિંડ ઉપર દૃષ્ટાંત
કુસુમપુર નગરમાં ચંદ્રગુપ્ત નામના રાજા હતા. તેને ચાણાક્ય નામના મંત્રી હતા.