________________
: ૨૦૬ :
જાય છે ત્યાં તે વસ્ત્ર વગરની બિભત્સ હાલતમાં પડેલી દુર્ગધ મારતી પિતાની બન્ને પત્નિઓને જોઈ.
આ દશ્ય જોતાં જ આષાઢભૂતિ વિચારવા લાગ્યા કે “અહો! કેવી મારી મૂઢતા? મારે નિર્વિવેક કે? કેવું ખરાબ આચરણ કર્યું કે આવા પ્રકારની અશુચીને કરંડીઆ સમાન, અર્ધગતિમાં લઈ જનાર એવી આ સ્ત્રીઓને જાણવા છતાં, પરમ પવિત્ર આલેક અને પરલોકમાં કલ્યાણ કરનાર પરંપરાએ એક્ષપદ અપાવનાર ઉત્તમ પ્રકારના સંયમને મેં ત્યાગ કર્યો. હજુ કંઈ બગડી ગયું નથી. ગુરુ મહારાજ પાસે જાઉં અને ફરીને ચારિત્રને સ્વીકાર કરૂં, પાપરૂપી કાદવને ધોઈ નાખું.
આ પ્રમાણે વિચાર કરીને આષાઢાભૂતિ તે પ્રાસાદમાંથી બહાર નીકળવા લાગ્યા. વિશ્વકર્માની દષ્ટિ તેમના ઉપર પડી. સમજી ગયા કે “આ વિરક્ત થઈને જઈ રહ્યા છે.”
| વિશ્વકર્માએ તુરત જ પિતાની પુત્રીઓના ઓરડામાં જઈ તેમને ઉઠાડી અને ઠપકો આપતાં કહેવા લાગ્યું કે “અરે! હીનપુણ્યવાળી, દુરાત્મા! આ તમે કેવું આચરણ કર્યું કે તમારી આવી સ્થિતિ જોઈને સકલ ગુણકલાના નિધાનભૂત તમારે પતિ વિરક્ત થઈને જઈ રહ્યો છે, જે પાછા વાળવાની શક્તિ હોય તે ઝટ જાવ અને પાછા વાળે. જે પાછા ન વળે તે આજી. વિકાની માગણી કરે.”
બનેએ ઝટપટ વસ્ત્ર વગેરે પહેરીને દેડતી પાછળ ગઈ અને આષાઢાભૂતિના પગમાં પડીને કહેવા લાગી કે “હે સ્વામી! અમારા આ એક અપરાધની માફી આપે. ફરીથી