________________
: ૨૫ : આષાઢાભૂતિ નટને ત્યાં રહેતા પિતાના બુદ્ધિપ્રાગભ્યથી અને વિવિધ પ્રકારના વિજ્ઞાનના અતિશયથી સઘળા નટમાં મુખ્ય નટ બની ગયે, અને ખૂબ કુશલતા પ્રાપ્ત કરી લીધી.
આષાઢાભૂતિના અભિનય આદિના કારણે જ્યાં જાય ત્યાંથી ખૂબ ધન, વસ્ત્ર, અલંકારો પ્રાપ્ત થવા લાગ્યા.
એક વખત રાજાએ આજ્ઞા કરી “આજે સ્ત્રીપાત્ર વગરનું નાટક કરવું.”
આથી બધા નટે પિતપોતાની સ્ત્રીઓને ઘેર મૂકીને રાજ સભામાં ગયા. આષાઢાભૂતિ પણ પિતાની બન્ને સ્ત્રીઓને ઘેર મૂકીને રાજસભામાં ગયા.
આષાઢાભૂતિની બન્ને સ્ત્રીએ વિચાર કર્યો કે “આપણું સ્વામિનાથ રાજસભામાં ગયા છે, ત્યાં આખી રાત્રી પસાર થઈ જશે, માટે આજે આપણે ઈચ્છામાં આવે તેટલું ધરાઈને મદ્યપાન કરીએ.” બન્નેએ એટલું બધું મદ્યપાન કર્યું કે પોતાની ચેતના ચાલી ગઈ અર્થાત બેભાન બની ગઈ, વચ્ચેનું ભાન પણ રહ્યું નહિ અને પિતાના ઓરડામાં બિભત્સ દશામાં ચત્તાપાટ પી ગઈ.
રાજસભામાં બીજા દેશને દૂત આવે તેથી રાજાનું મન ચિંતાવાળુ થયું હતું, તેથી રાજાએ કહેવરાવ્યું કે “આજે નાટક કરવાનું નથી.”
આથી બધા નટે પિતપોતાના ઘેર પાછા ગયા. આષાઢાભૂતિ પણ પિતાના ઘેર આવ્યા અને જ્યાં પિતાના ઓરડામાં