________________
: ૨૦૭ : આવું કદી પણ નહિ કરીએ. તમે જ અમારા જીવન છો માટે અમારે ત્યાગ કરે નહિ.”
આષાઢાભૂતિ જરા પણ ચલાયમાન ન થયા. એટલે તે બને બેલી કે “સ્વામિ! તમે જતા રહેશે તે પછી અમારી આજીવિકાનું શું? અમારી આજીવિકાની વ્યવસ્થા કરી દે, જેથી તમારા પછવાડે સુખપૂર્વક અમે જીવી શકીએ.”
આષાઢાભૂતિએ દાક્ષિણ્યતાથી આ માગણીને સ્વીકાર કર્યો અને ભવનમાં પાછા આવ્યા. પછી પત્નિઓની આજીવિકા માટે ચક્રવર્તિ ભરત મહારાજાના ચરિત્રને જણાવનાર “રાષ્ટ્રપાલ નામના નાટકની રચના કરી.
નાટક તૈયાર થઈ જતાં વિશ્વકર્માએ સિંહરથ રાજા પાસે જઈને જણાવ્યું કે “આષાઢાભૂતિએ “રાષ્ટ્રપાલ” નામનું સુંદર નાટક તૈયાર કર્યું છે. તે નાટક આપની સમક્ષ ભજવવાને વિચાર છે, પરંતુ તે નાટકમાં અલંકારથી યુક્ત પાંચસે રાજકુમારેની જરૂર પડશે.”
રાજાએ પાંચસે રાજકુમારે ઍપ્યા, એટલે આષાઢાભૂતિએ તેમને યથાગ્ય સામંત આદિ કર્યા અને નાટકમાં ભજવવાને પાઠ શીખવા. પિતે ભરત ચક્રવર્તિ બન્યા.
ગ્ય દિવસે નાટકની શરૂઆત થઈ. ભરત મહારાજાએ છ ખંડની સાધના કરી, ચૌદ રત્નો, નવ મહાનિધિ પ્રાપ્ત