SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ : ર૦૩: માટે જરૂર આવશે. આવે એટલે તમારે આદર પૂર્વક સારી રીતે ભિક્ષા આપવી અને તમને વશ થાય તેમ કરવું. તે આસક્ત થઈ જાય ત્યાર પછી કહેવું કે “અમને તમારા ઉપર ખૂબ સ્નેહ થાય છે, માટે તમે અમારે સ્વીકાર કરીને અમારી સાથે લગ્ન કરે.” આષાઢાભૂતિ મુનિ તો મોદક વગેરેના આહારમાં લટ્ટ બની ગયા અને રેજ વિશ્વકર્મા નટને ઘેર ભિક્ષાએ આવવા લાગ્યા. નટકન્યાએ આદરપૂર્વક સસ્નેહ સારી સારી ભિક્ષા આપે છે. આષાઢાભૂતિ ધીમે ધીમે નટકન્યા પ્રત્યે આકર્ષવા લાગ્યા અને પ્રેમ વધવા લાગ્યો. એક દિવસે નટકન્યાએ લગ્નની માગણી કરી. ચારિત્રાવરણ કર્મને જોરદાર ઉદય જા. ગુરુને ઉપદેશ વીસરી ગયા, વિવેક નાશ પામે, કુલજાતિનું અભિમાન ઓસરી ગયું. આથી આષાઢાભૂતિએ લગ્નની વાતને સ્વીકાર કર્યો અને કહ્યું કે “આ મારે મુનિવેષ મારા ગુરુને સંપીને પાછો આવું છું.' ગુરુમહારાજના પગમાં પડીને આષાઢાભૂતિએ પિતાને અભિપ્રાય જણાવ્ય. ગુરુમહારાજે કહ્યું કે “વત્સ! તારા જેવા વિવેકી અને જ્ઞાનવાનને આલોક અને પરલોકમાં જુગુપ્સનીય આચરણ કરવું યેગ્ય નથી. તે વિચાર કર, લાંબા કાળ સુધી ઉત્તમ પ્રકારના શીલનું પાલન કર્યું છે, તે પછી હવે વિષયમાં આસક્ત થા નહિ, બે હાથ વડે આખે સમુદ્ર તરી ગયા પછી
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy