________________
: ૨૦૨ : અનેક વસાણાથી ભરપુર, સુગધીવાળે મેદિક જોઈ, આષાઢાભૂતિ મુનિએ વિચાર કર્યો કે “આ ઉત્તમ માદક તે આચાર્ય મહારાજની ભક્તિમાં જશે. આ મેદક ફરી ક્યાં મળવાને છે? માટે રૂપ બદલીને બીજે લાડ લઈ આવું.” આમ વિચાર કરીને પિતે એક આંખે કાણું બની ગયા. અને પાછા “ધર્મલાભ” આપીને તે નટના ઘરમાં ગયા. બીજો લાડ મળે. વિચાર કર્યો કે “આ મેદક તે ઉપાધ્યાયને આપ પડશે.” એટલે પાછા કુબડાનું રૂપ ધારણ કરી ત્રીજો લાડ મેળવ્યો. “આ તે સંઘાટ્ટક સાધુને આપ પડશે.” એટલે કેઢીઆનું રૂપ બનાવીને લાડ લઈ આવ્યા.
પિતાના ઘરના ઝરૂખામાં બેઠેલા વિશ્વકર્માએ સાધુને જુદા જુદા રૂપ કરતા જોઈ લીધા હતા. આથી તેણે વિચાર કર્યો કે
જે આ નટ બને તે ઉત્તમ કલાકાર થઈ શકે. માટે કઈ પણ ઉપાયે આને વશ કર જોઈએ.' વિચાર કરતાં ઉપાય મળી આવ્યો. “મારી અને પુત્રીઓ યુવાન, સ્વરૂપવાન, ચતુર અને હોંશીયાર છે. તેમના આકર્ષણથી સાધુને વશ કરી શકાશે.”
વિશ્વકર્મા નીચે ઉતર્યો અને તુરત સાધુને પાછા લાવ્યા અને લાડવાથી પાતરું ભરી દીધું અને કહ્યું કે “ભગવન ! હંમેશાં અહીં પધારીને અમને લાભ આપજે.”
આષાઢાભૂતિ ભિક્ષા લઈને ઉપાશ્રયે પહોંચ્યા.
આ બાજુ વિશ્વકર્માએ પિતાના કુટુંબને સાધુના રૂપ પરાવર્તનની બધી વાત કરી. પછી બન્ને પુત્રીઓને એકાંતમાં બેલાવીને કહ્યું કે “આવતી કાલે પણ આ મુનિ ભિક્ષા લેવા