________________
[: ૨ : આદિને ઘણો જ ઉપયોગી થઈ પડશે, એમાં શંકા નથી. તેમના આ અમૂલ્ય શ્રમ માટે ખરેખર ધન્યવાદ ઘટે છે.
પૂજ્ય ઉપકારિ ગુરૂદેવ, સં. ૨૦૨૧ નું ધર્મચાતુર્માસ વિજય. દાનસૂરિજી જ્ઞાનમંદિર અમદાવાદમાં અનેકવિધ ધર્મ આરાધના અને શાસનપ્રભાવનાઓથી સભર સંપૂર્ણ કરી ચાતુર્માસ ઉતર્યો ભાવિક શેઠશ્રી મનુભાઈ જેસીંગભાઈની વિનંતીથી કા. વ. ૬ દિને જ્ઞાનમંદિરથી વિહાર કરી એલીસબ્રીજ ત્રણબત્તી આગળ તેમના નિવાસસ્થાન શારદ બંગલે સપરિવાર પધાર્યા હતા. પૂજ્યશ્રીના શિષ્યરત્ન તિવિંદ પૂ.પં. પ્રવર શ્રી રેવતવિજયજી ગણિવરે ધર્મપ્રેમી ઉદારદિલ શ્રી મનુભાઈને આ ગ્રન્થની ઉપગિતા સમજાવી. એથી પ્રેરાઈને તેઓએ પોતાના પૂ. પિતા શ્રી સ્વ. શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસ ટ્રસ્ટ તરફથી એનું પ્રકાશન કરાવવાની ઈચ્છા પ્રગટ કરી. પરિણામે આ ગ્રન્થ સદર ટ્રસ્ટની સહાયથી અમારી સંસ્થા પ્રગટ કરે છે. આવી સુંદર કૃતભક્તિ સાથે જ્ઞાનદાનને આ ટ્રસ્ટ તરફથી જે લાભ લેવામાં આવ્યા છે, તે બદલ ઉપદેશક પૂજ્ય ગુરૂદેવને, ટ્રસ્ટને અને ટ્રસ્ટના સંચાલક શ્રાદ્ધવચ્ચે શ્રી સારાભાઈ તથા મનુભાઇને પણ આ સ્થલે આભાર માનીએ છીએ. શેઠશ્રી જેસીંગભાઈની પ્રતિકૃતિ તેમજ જીવન પરિચય આ સાથે આપવામાં આવ્યું છે, તે ખાસ જોઈ લેવા વાંચકોને ભમણ છે.
આ ગ્રન્થ પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. પં. પ્રવર શ્રી જયંતવિજયજી ગણિવર, પૂ. મુનિરાજશ્રી દેવભવિજયજી, પૂ. મુનિરાજશ્રી સિદ્ધાચલવિજયજી, પૂ. મુનિરાજ શ્રી હરિણુવિજયજી તથા પૂ. મુનિરાજ