________________
L: રે ; શ્રી મહાશાલવિજયજીની વર્ષિતપની આરાધના નિમિત્તે તેમજ પૂજ્ય સાથ્વીરત્ન શાંત તપસ્વીની પ્રવર્તિની શ્રી કલ્યાણશ્રીજી ડાઈવાળાં, જેઓએ સં. ૨૦૨૦ ના ધર્મચાતુર્માસને લાભ સુશ્રાદ્ધવર્ય શ્રી મનુભાઈના મકાનમાં શ્રાવિકા સુશીલાબેન કોઠાવાળાની વસતીમાં આપ્યું હતું, તેમના દીર્ઘચારિત્ર પર્યાયમાં શ્રી વર્ધમાન તપની ઓળીએ અને માસમણાદિ પ્રમુખ અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાઓ આજીવન સેવી રહ્યાં છે, તેની અનુંમદનાર્થે આ ગ્રન્થ જ્ઞાન-દર્શનચારિત્ર અને તપના પ્રેમીઓને સાદર ભેટ ધરવામાં આવે છે. આ સંસ્થાનાં અન્ય પ્રકાશની માફક આ પ્રકાશનને પણ વાંચકવર્ગ સારે લાભ ઉઠાવશે એ શુભેચ્છા સાથે વિરમું છું.
પૂ. સાધ્વીજી કલ્યાણ શ્રીજી મહેશ્રીની પ્રતિકૃતિ તેમજ જીવન પરિચય પણ આ સાથે આપવામાં આવેલ છે. પૂજ્યશ્રીની નિશ્રામાં પૂ. મુનિરાજશ્રી સિદ્ધાચલવિજયજી કે જેઓ અમારી સાહિત્યિક પ્રવૃત્તિમાં અનેક રીતે સહાયભૂત છે, તેમને પણ અમે સાભાર યાદ કરીએ છીએ. ગ્રન્થનું મુદ્રણકાર્ય પાલીતાણા બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસના માલિક ગુરૂભક્ત સુશ્રાદ્ધરત્ન શ્રી અમરચંદ બેચરભાઈએ સુંદર લાગણું ધરાવવાપૂર્વક કર્યું છે. તેમને તથા તેમના શ્રી ભાનુચંદ્ર આદિ કાર્યકર્તાઓને પણ કેમ જ ભુલાય?
વીર સં. ૨૪૯૨ )
સેવક, વિ. સં. ૨૦૨૨ શા. જયંતિલાલ બાપુલાલ વડજવાળા પોષ સુદ ૯ શનિવાર
| મંત્રો-આ, જે. જે. મુ. જ્ઞા, ડભેઇ. - તા. ૧-૧-૬૬