________________
: ૧૯૫ : ક્ષુલ્લક સાધુએ વિચાર કર્યો કે “અવશ્ય એમ જ કરીશ.”
પછી ઘરમાંથી બહાર નીકળીને કેઈને પૂછયું કે આ કેનું ઘર છે?”
તેણે કહ્યું કે વિષ્ણુમિત્રનું આ ઘર છે. વિષ્ણમિત્ર ક્યાં છે? અત્યારે ચોરા ઉપર હશે.
ગુણચંદ્ર મુનિ ચોરા ઉપર પહોંચ્યું અને ત્યાં જઈને પૂછયું કે “તમારામાં વિષ્ણમિત્ર કેણ છે?”
તમારે તેમનું શું કામ છે? મારે તેમની પાસે કંઈક માગણી કરવી છે.
તે વિષ્ણમિત્ર, આ બધાને બનેવી જે થતું હતું એટલે મશ્કરીમાં તે બધા બોલ્યા કે “એ તે કૃપણ છે, એ તમને કાંઈ આપે એવું નથી, માટે અમારી પાસે જ જે માગવું હોય તે માગો.”
વિષ્ણુમિત્રને થયું કે આ તે મારી હલકાઈ થશે, એટલે તે બધાની સમક્ષ સાધુને કહ્યું કે “હું વિષ્ણમિત્ર છું, તમારે જે માગવું હોય તે માગે, આ બધા મશ્કરીમાં બેલે છે તે તમે ગણશે નહિ.”
ત્યારે સાધુએ કહ્યું કે “જો તમે સ્ત્રી પ્રધાન છે પુરુષોમાંના એકે ન હે તે મારું.”
આ સાંભળી ચેરા ઉપર બેઠેલા બીજા માણસોએ પૂછયું